Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

વિદેશી કંપનીઓ સામેની લડતને સ્વદેશી જાગરણ મંચનો ટેકો

જાગરણ યાત્રા અને બંધમાં જોડાવા વેપારીઓને આહવાન

રાજકોટ તા.૨૯: તાજેતરમાં જ નાગપુર ખાતે કન્ફરમેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સની મિટીંગમાં લેવાયેલા નિર્ણય મુજબ તા. ૧૫ સપ્ટેમ્બરના રાષ્ટ્રીય રથયાત્રા શરૂ કરી વોલમાર્ટ અને ફલીપકાર્ટ ની ડીલ તેમજ રીટેઇલ વ્યાપારમાં એફ.ડી.આઇ. વિરૂધ્ધમાં દેશભરના વેપારીઓને આ અંગે જાગૃત કરવામાં આવશે. ત્યારબાદ તા. ૨૮-૦૯-૧૮ના રોજ દેશવ્યાપી વ્યાપાર બંધનું એલાન કરવામાં આવશે. ઉપરોકત બન્ને કાર્યક્રમને સ્વદેશી જાગરણ મંચ રાજકોટ સંપુર્ણ ટેકો જાહેર કરે છે તથા યાત્રામાં સંપુર્ણ સહકાર અને બંધના એલાનમાં વેપારીઓને જોડાવવા સંઘર્ષ વાહિની વિભાગના પ્રમુખ ભાર્ગવભાઇ ગોકાણી (મો. ૯૪૦૮૩ ૨૦૯૭૯)એ આહવાન કરેલ છે.(૧.૨૮)

(4:16 pm IST)