Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

સૌરા.યુનિ.માં કુલપતિ નિલામ્બરીબેન દવેના હસ્તે વૃક્ષારોપણ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પમાં કુલપતિ શ્રી નિલામ્બરીબેન દવેના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.  કુમકુમ ગ્રુપ પરિવાર અને જલસા ગ્રુપના સભ્ય સુરેશભાઈ સખિયા, કરશનભાઈ વગેરેના સહયોગથી ૨૫ વૃક્ષો જેવા કે બોરસલી, પીપળા, પીપળ, લીમડા, ગુલમહોર જેવા વૃક્ષો વાવવામાં આવ્યા. એટલું જ નહીં બલકી જલસા ગ્રુપના સભ્યો દ્વારા આ વૃક્ષોને દત્તક લઈ, ઉછેરવાની જવાબદારી પણ લેવામાં આવી. કુમકુમ ગ્રુપ પરિવારના મનોજભાઈ પટેલ, અશોકભાઈ જાદવ, રાજુભાઈ પ્રજાપતિ, નારણભાઈ બોળિયા, વિનીત માખેચા તેમજ જલસા ગ્રુપના રામભાઈ ઓડેદરા, વી.ડી.વઘાસિયા, ચંદ્રકાન્તભાઈ, સુરેશભાઈ, વ્યાસભાઈ, આરદેસણાભાઈ, મોણપરાભાઈ, ગજેરાભાઈ, પી.ડી. કાકડિયા, ચોવટીયાભાઈ તેમજ બહોળી સંખ્યામાં બહેનો હાજર હતા. હોમસાયન્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર રેખાબા જાડેજા સંકલનમાં સાથે હતા.(૩૦.૨)

(4:11 pm IST)