Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

અટલજીના આત્માની શાંતિ અર્થે તમામ વોર્ડમાં સર્વદલીય સાર્વજનિક પ્રાર્થનાસભા

રાજકોટ : ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન શ્રી અટલ બિહારી બાજપાઈજીનું દુઃખદ નિધન થતાં રાજકોટ શહેરના તમામ ૧ થી ૧૮ વોર્ડમાં સર્વદલીય સાર્વજનિક પ્રાર્થનાસભા યોજવામાં આવી હતી. જેમાં રાજુભાઈ ધ્રુવ, મુકેશભાઈ દોશી, વશરામભાઈ સાગઠીયા, વલ્લભભાઈ પરસાણા, હારૂનભાઈ ડાકોરા, સુરેશભાઈ ગરૈયા તેમજ વોર્ડ નં. ૧માં ગાંધીગ્રામ ખાતે કાશ્મીરાબેન નથવાણી, વોર્ડ નં. ૨માં સરસ્વતી શિશુ મંદિર ખાતે નીતિનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ મીરાણી, વોર્ડ નં.૪માં દલસુખ જાગાણી, વોર્ડ નં.૫માં ધારાસભ્ય અરવિંદ રૈયાણી, વોર્ડ નં.૬માં અશ્વિન મોલીયા, વોર્ડ નં.૭માં ગોવિંદભાઈ પટેલ, વોર્ડ નં.૮માં અંજલીબેન રૂપાણી, વોર્ડ નં.૯માં પુષ્કર પટેલ, વોર્ડ નં.૧૦માં મેયર બીનાબેન આચાર્ય, વોર્ડ નં. ૧૧માં રાજુભાઈ બોરીચા, વોર્ડ નં.૧૨માં ભાનુબેન બાબરીયા, વોર્ડ નં.૧૩માં ઉદય કાનગડ, વોર્ડ નં.૧૪માં નિલેશ જલુ, વોર્ડ નં. ૧૫માં માવજીભાઈ ડોડીયા, વોર્ડ નં.૧૬માં કિશોરભાઈ રાઠોડ, વોર્ડ નં.૧૭માં ભીખાભાઈ વસોયા, વોર્ડ નં.૧૮માં રક્ષાબેન બોળીયા સહિતનાએ અટલજીને શ્રદ્ધાંજલી પાઠવી હતી.(૩૭.૧૩)

(3:54 pm IST)