Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

જેલમાં કેદીઓ વચ્‍ચે ભોજન પીરસવા બાબતેથયેલ હુમલા-એટ્રોસીટી કેસમાં આરોપી જામીન પર

રાજકોટ તા. ર૯: રાજકોટ સેન્‍ટ્રલ જેલમાં કેદીઓ વચ્‍ચે ભોજન પીરસવાની બાબતમાં જીવલેણ હુમલો કરવાના એટ્રોસીટી એકટના ગુન્‍હા હેઠળ પકડાયેલ આરોપીઓનો જામીન પર છુટકારો થયેલ છે.

રાજકોટ શહેરમાં આવેલ મધ્‍યસ્‍થ જેલમાં બેરેક નં. પ યાર્ડ નં. પ માં ખુનના ગુન્‍હામાં સુરેન્‍દ્રનગર જીલ્લાના દશાડામાં રહેતા આ કામના ફરીયાદી અશોકભાઇ રેવાભાઇ મકવાણાએ રાજકોટના પ્ર.નગર પોલીસ સ્‍ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩ર૩, પ૦૪, પ૦૬(ર), ૧૧૪, તથા એટ્રોસીટી એકટની કલમ ૩(ર)(પ)(એ) મુજબની ફરીયાદ નોંધાવેલ હતી. જ ે અન્‍વયે પોલીસ દ્વારા ગત તા. ર૯/૦૩/ર૦રર ના રોજ આ કામના આરોપીઓ (૧) અનિરૂધ્‍ધસિંહ ઉર્ફે અનોપસિંહ વિશુભા સોઢા, (ર) યુવરાજસિંહ ઉર્ફે હકુડીયો પ્રવિણસિંહ જાડેજા, (૩) સીરાજ ઉર્ફે જીવણો મનસુખભાઇ મકવાણાની ઉપરોકત ગુન્‍હાના કામ સબબ રાજકોટના પ્ર.નગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી.

આરોપીઓને સ્‍પે. એટ્રો કોર્ટ સમક્ષ રજુ કરતા તમામ આરોપીઓને જયુડીશ્‍યલ કસ્‍ટડીમાં મોકલવાનો હુકમ ફરમાવેલ હતો અને ત્‍યારબાદ ઉપરોકત ત્રણેય આરોપીઓ વતી પોતાના એડવોકેટ મારફત જામીન પર છુટવા જામીન અરજી ગુજારેલ જે અન્‍વયે આરોપીઓ વતી રોકાયેલા એડવોકેટે કરેલ દલીલ તેમજ તાજેતરમાં એટ્રોસીટીના ગુન્‍હા સબબ હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના તાજેતરમાં પ્રસ્‍થાપિત કરેલા જુદા જુદા ચુકાદાઓને ધ્‍યાનમાં રાખી સ્‍પે. એટ્રોસીટી કોર્ટના જજશ્રીએ તમામ આરોપીઓને જામીન પર છોડવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામમાં આરોપીઓ વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા રોકાયેલા હતા.

(3:44 pm IST)