Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ભગવતીપરામાં ધો-૯ની છાત્રા સાક્ષી પાલનો ગળાફાંસો ખાઇ આપઘાત

બે ભાઇની એકની એક બહેનઃ લાડકીના પગલાથી મુળ બિહારના પરિવારમાં અરેરાટીઃ કારણ અકળ રહેતાં પોલીસ તપાસ યથાવત

રાજકોટ તા. ૨૯: ભગવતીપરામાં રહેતી ૧૪ વર્ષની વિદ્યાર્થીનીએ  ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

ભગવતીપરાના પરષોત્તમ પાર્કમાં રહેતી સાક્ષી મનોજભાઇ પાલ (ઉ.વ.૧૪)એ સાંજે પંખામાં ચૂંદડી બાંધી દેહ લટકાવી દઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં બી-ડિવીઝન પીએસઆઇ કે. યુ. વાળા અને ભાવેશભાઇએ ઘટના સ્‍થળે પહોંચી પંચનામુ કરી મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ માટે ખસેડયો હતો. આપઘાત કરનાર સાક્ષી બે ભાઇની એકની એક નાની બહેન હતી અને ધોરણ-૯માં કોટક સ્‍કૂલમાં ભણતી હતી. આ પરિવાર મુળ બિહારનો વતની છે.

આપઘાત કરનાર સાક્ષીના પિતા મનોજભાઇ પાલ કારખાનમાં મજૂરી કરે છે. સાક્ષીએ આ પગલુ શા માટ ભર્યુ? તે અંગે પરિવારજનો પણ અજાણ હોઇ કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે. 

(4:13 pm IST)