Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ.ગુરુદેવ શ્રી ગિરીશચંદ્રજી મ.સા.ની તા.૧ જુલાઇએ પાંચમી પુણ્યતિથી

 રાજકોટઃ સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો,મહંતો અને શૂરવીરોની ભાતીગળ ભૂમિ. આ ભૂમિને અનેકોનેક મહાપુરુષોએ પવિત્ર અને પાવન કરી ઉજાગર કરેલ છે.આવી જ એક પૂણ્ય ભૂમિ ઉપર એટલે કે ગોંડલથી નજીક ખોબા જેવડા ગોમટા ગામમાં વિ.સં.૧૯૮૪ ચૈત્ર વદ કૃષ્ણ પક્ષની દશમીના શુભ દિવસે રત્નકુક્ષિણી ધર્મ વત્સલા માતા જમકુબેનની કૂખે એક બાળકનું અવતરણ થતાં જ ધર્મ પરાયણ પિતા મણીભાઈ શેઠ પરિવારમાં કયાંય હરખ સમાતો ન હતો.શેઠ પરિવારમાં જન્મેલ આ પાંચમા પુત્ર રત્નનું નામ ' ભૂપત ' રાખવામાં આવ્યું. ' ભૂ ' એટલે પૃથ્વી અને ' પત ' એટલે સ્વામી.

 કાલી ઘેલી ભાષા બોલતાં નાના બાલૂડા ભૂપતને ગોમટાની પ્રાથમિક શાળામાં ભણવા બેસાડ્યો ,પરંતુ ભૂપતને ભણતર સાથે બાર નહીં બાવીસ ગાઉનું છેટુ હતું. સમય જતાં મણીભાઈ શેઠ પરિવાર ગોમટા છોડી ગોંડલ રહેવા આવ્યાં એટલે ભૂપતે સંગ્રામસિંહજી સ્કૂલમાં માંડ - માંડ પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો.

 સૌરાષ્ટ્ર કેસરી ગુરુ પ્રાણનું ગોંડલમાં મંગલ પદાર્પણ થયું. નાનો બાલૂડો ભૂપત પણ બધાની સાથે દર્શને ગયો. હીરાને તો ઝવેરી જ પારખે તે ઉકિત અનુસાર પ્રાણગુરુએ હીરા જેવા ભૂપતને પારખી લીધો અને અનિમેષ દ્રષ્ટિથી તેને જોતાં જ રહ્યાં. તપોધની પૂ.રતિલાલજી મ.સા.ના જીવન કવનથી એમની વૈરાગ્યની ભાવનાને પ્રેરક બળ મળ્યું.  પરિવારે કસોટી જરુર કરી  સહર્ષ સંમતિ આપી વ્હાલ સોયા વૈરાગી ભૂપતને ગુરુના ચરણે સોંપી દિધો.

 શાસ્ત્રોના અભ્યાસર્થે પૂ.જગજીવનજી મ.સા.એવમ્ પૂ.જયંતિલાલજી મ.સા.વિ.સં.૨૦૦૪ માં આગ્રા ચાતુર્માસ કર્યુ.ત્યારબાદ બનારસ,વારાણસી,કાશી તરફ વિચરણ કર્યું.વૈરાગી ભૂપતભાઈ પણ ગુરુવર્યોના પાવન સાનિધ્યમાં ગુરુવર્યોની સમીપે રહી તેઓની પાસેથી તત્વનો ગહન અભ્યાસ કર્યો.

 કોલકત્ત્।ા સંઘની આગ્રહભરી વિનંતીનો સ્વીકાર કરી પૂ.ગુરુદેવ જગજીવનજી મ.સા.એવમ.પૂ.જયંતિલાલજી મ.સા.ચાતુર્માસાર્થે પધાર્યા. કોલકત્ત્।ા સંદ્યે એવી લાગણી સાથે માગણી વ્યકત કરી કે આદર્શ વૈરાગી મુમુક્ષુ ભુપતભાઈની દીક્ષા પણ કોલકત્ત્।ા સંદ્યમાં ભકિત ભાવે ઉજવાય. સંઘના સવાયા સદ્ ભાગ્યે ગુરુવર્યોએ વિનંતીનો સ્વીકાર કરી. તા.૨૬/૧૧/૧૯૫૨  ના રોજ ૨૪ વર્ષીય મુમુક્ષુ ભુપતભાઈનો ભવ્યાતિભવ્ય સંયમ મહોત્સવ ઉજવાયેલ. હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં પૂ.જયંતિલાલજી મ.સાહેબે દીક્ષા મંત્ર - કરેમિ ભંતેનો પાઠ ભણાવેલ.  પૂ.ગુરુદેવે નૂતન દીક્ષિતનું નામ પૂ.ગિરીશચંદ્ગજી મ.સા.ની ઉદઘોષણા કરેલ.

 તા.૯/૨/૧૪ ના રોજ ઘાટકોપર મુકામે પૂ.નમ્રમુનિ મ.સા.સમીપે ૯ મુમુક્ષુ આત્માઓના ઐતિહાસિક સંયમ મહોત્સવ મધ્યે પરમ શ્રધ્ધેય પૂ.ગુરુદેવ ધીરજમુનિ મ.સાહેબે પોતાના શ્રી મુખેથી હજારો ભાવિકો અને ચતુર્વિધ સંદ્યની પ્રેરક ઉપસ્થિતિમાં પૂ.ગિરીશચંદ્ગજી મ.સા.ને ગોંડલ ગચ્છના ગાદીપતિ તરીકે દ્યોષણા પત્રનું વાંચન કરતાં જ હર્ષોલ્લાસ છવાઈ ગયેલ.

 શેઠ ઉપાશ્રયમાં તા.૧/૭/૧૫ ના અષાઢ સુદ પુનમના પાખીની પાવન સંધ્યાએ પ્રતિક્રમણ સમયે સમાધિભાવે ચાર શરણાના સ્વીકાર સાથે પૂ.ગુરુદેવ ગિરીશચંદ્ગજી મ.સા.૮૯ વર્ષના માનવ જીવનમાં છ દાયકા ઉપરાંતનું સંયમ જીવનનું રૂડીરીતે પાલન અને સ્વ - પરનું કલ્યાણ કરી કાળધમઙ્ખ પામી દેવલોકગમન કરેલ.

પૂ.સુશાંતમુનિ મ.સાહેબે પૂ.ગુરુદેવ ગિરીશચંદ્ગજી મ.સા.ની અજોડ સેવા - વૈયાવચ્ચ કરેલ.

  સંકલન

મનોજ ડેલીવાળા,

રાજકોટ,

મો.૯૮૨૪૧ ૧૪૪૩૯

(2:49 pm IST)