Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

નવા મોરબી રોડ વિસ્તારમાં મેટલીંગ કામનો પ્રારંભઃ ખાતમુહુર્ત ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા લોકવિકાસના જુદા જુદા કામો કરવામાં આવેલ છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૦૪માં આવેલ નવા મોરબી રોડથી તિરુપતિ સોસાયટી સુધીના રસ્તાના મેટલીંગ કામનું ખાતમુહુર્ત ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયાના હસ્તે કરવામાં આવ્યું. આ રસ્તાના કામથી ગણેશ પાર્ક, શ્રીરામ પાર્ક, તિરુપતિ અમૃત પાર્કના વિસ્તારવાસીઓને વધુ સારા રસ્તાની સુવિધા મળી રહેશે. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, વોર્ડ અગ્રણીયશ્રીઓ કાનાભાઈ ઉધરેજા, ખોડાભાઈ અમરેલીયા, ધીરુભાઈ પીપળીયા, હરેશભાઈ લુણાગરીયા, મનસુખભાઈ તળાવીયા, જવાહરભાઈ, ટપુભાઈ પરસાણા, પ્રાગજીભાઈ, ગોબરભાઈ પરસાણા, જસમતભાઈ પરસાણા, કિશોરભાઈ ઝાલાવાડિયા, તથા ગણેશ પાર્કના અગ્રણીયશ્રી શૈલેશભાઈ રૈયાણી, પંકજભાઈ, હિતેશભાઈ પીપળીયા, બ્રિજેશભાઇ હાપલીયા, જગદીશભાઈ, તિરુપતિ પાર્કના દિલીપભાઈ ડોબરિયા, પ્રવીણભાઈ, નીલેશભાઈ ગઢીયા, જીગ્નેશભાઈ રામાણી, રામ પાર્કના વસંતભાઈ બુસા, સુંદરજીભાઈ દેવડા, દિનેશભાઈ લુણાગરિયા તથા વોર્ડના અગ્રણીયશ્રી કંકુબેન ઉધરેજા(શહેર ભાજપ કારોબારી સભ્ય), જયોતિબેન, પ્રવિણાબેન, રંજનબેન, લીલાબેન, ભારતીબેન તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ.

(4:10 pm IST)