Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

નવરંગ કલબ દ્વારા શોષખાડા અભિયાન

ર૦૧૧ થી અત્યાર સુધીમાં પ૦૦૦ ખાડા કરીને પાણી સંગ્રહ કરાવ્યું: આ વર્ષે ર૦૦૦ ખાડાનો લક્ષ્યાંક

રાજકોટ તા. ર૯ :.. આપણે કુવા અથવા બોરમાંથી આખુ વર્ષ વૈજ્ઞાનિક રીતે પાણી ખેંચીએ છીએ. ધરતીમાંથી પાણી ખેચવાની આપણને છુટ હોય તો ધરતીમાં વરસાદી પાણી ઉતારવાની આપણી જવાબદારી કે ફરજ છે.

આ જવાબદારીના ભાન સાથે ર૦૧૧ થી દર વર્ષે એક હજાર ખાડાનું નિર્માણ જે તે ખેડૂતોને ત્યાં નેચર કલબ દ્વારા દરેક વાડી કે ખેતરમાં જયાંથી વરસાદી પાણી પસાર થતું હોય ત્યાં એક ખુણા ઉપર શોષખાડાનું (૧૦ * ૧૦ * પ ફુટ) નિર્માણ કરીએ છીએ. ખાડા કર્યા બાદ તે ખાડો નકામા પથ્થરોથી બુરી દેવાનો હોય છે. જેથી કોઇપણ જાતનો અકસ્માત ન થાય. આવા ખાડા કરવાનો કુલ ખર્ચ બે હજાર રૂપિયા આવતો હોય છે. આપણે ધરતીમાંથી પાણી ખેંચવા બે કે ચાર લાખનો ખર્ચ કરીએ છીએ. હવે વખત આવી ગયેલ છે ેક આપણે આપણી વાડી, ખેતર, ફળીયા કે કોઇપણ જગ્યાએથી વરસાદી પાણી ધરતીમાં ઉતારવાની ઝંૂબેશ કરવી પડશે. આ કામમાં લોકો મોટી સંખ્યામાં જોડાય તો ભુગર્ભ જળનું સ્થર ઉંચુ આવશે. કેમ કે જયારે જયારે વરસાદ થશે ત્યારે આવા શોષખાડાઓ દ્વારા પુષ્કળ પાણી ધરતીમાં ઉતરશે.

આ વર્ષે (૧૦ * ૧૦ * પ ફુટ) ના આવા બે હજાર ખાડા જે તે ખેડૂતોને ત્યાં થાય તે માટે અમો મથીએ છીએ. આપ પણ શકય હોય તેટલા શોષખાડા કરી આ અતી જરૂરી કામને બળ આપશો. પડતર જમીનમાં પણ શોષખાડા કરી શકાય. શકય હોય તેટલી વરસાદી પાણી ભુગર્ભમાં ઉતારવાનું આ વર્ષથી જ આપણે ઉતારવાનું શરૂ કરીએ.

સઘળા સજીવ પ્રાણીઓનું ૭૦ ટકાથી ૮૦ ટકા વજન પાણીના કારણે હોય છે. પાણી દરેક કોષોનો પાયાનો ઘટક છે. અને આપણા અસ્તિત્વ માટે જરૂરી છે. તે આપણા શરીરનું તાપમાન ૩૬.૮ સેલ્સીયસ રાખે છે, લોહીમાં ભળે છે, શરીરના કોષો માટે પ્રાણવાયુ અને પોષક દ્રવ્યો પહોંચાડવામાં મદદ કરે છે અને શરીર માના નકામા પદાર્થોને દુર કરે છે. જળ આપણને સ્વચ્છ અને તંદુરસ્ત રાખે છે. પાણીનો ઉપયોગ આપણે ખોરાક રાંધવા, પીવા, વાસણ માંજવા, ઘર સાફ કરવા, ફુલછોડ, ખેતીવાડી, સ્નાન, વાહન સાફ કરવા, જાજરૂ ફલેશ કરવા માટે કરીએ છીએ. તેનો ઉપયોગ તરવા, હોડીમાં સહેલ કરવા, માછલી પકડવા અને એવી બીજી ઘણી મનોરંજનની પ્રવૃતિઓ માટે કરીએ છીએ. પૃથ્વી પર જીવસૃષ્ટિ પાણીને આભારી છે.

સંયુકત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના ૧૯૯૮ ના અહેવાલ મુજબ ૧૯પ૦ માં દુનિયામાં માથાદીઠ ૧૭૦૦૦ ઘન મીટર પાણી પ્રાપ્ત હતું તે ઘટીને હાલ ફકત ૭૦૦૦ ઘન મીટર થઇ ગયું છે.

ગુજરાતની પાણીની કુલ જરૂરીયાતમાંથી ૭૭ ટકા જરૂરીયાત ભુગર્ભ જળથી સંતોષાય ે. ગુજરાતના ૧૮પ૬૯ ગામોમાંથી પ૦ ટકાથી વધુ ગામોમાં પીવાના પાણીના પ્રશ્નો છે. રાજયનો ૩પ ટકા વિસ્તાર 'અછતગ્રસ્ત વિસ્તર વિકાસ પરિયોજના' હેઠળ આવરી લેવામાં આવે છે. પાણીનો પ્રશ્ન ખેચતાણ વાળો બનતો જાય છે. એટલે કે જળનો આ કુદરતી સ્ત્રોત પર્યાવરણીય સ્ત્રોત હોવા છતાં તે ફકત હવે પર્યાવરણનો મુદો નથી તે આજે અર્થકારણ, સમાજકારણ અને રાજકારણને સ્પર્શતો મુદો છે.

પૃથ્વી પર કુલ પાણીના જથ્થામાંથી ૯૭ ટકા ખારૂ પાણી છે. (સમુદ્ર), ૧ ટકા નદીઓ, ભુગર્ભજળ, તળાવ અને ડેમો. ર ટકા બરફના રૂપમાં છે. વધારે વિગતો માટે વી. ડી. બાલા મો. ૯૪ર૭પ ૬૩૮૯૮ નો સંપર્ક થઇ શકે છે.

(3:27 pm IST)