Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

પુનિતનગર કવાર્ટરની સગીરાનું ગંજીવાડાનો સાગર થોરીયા અપહરણ કરી ગયાની રાવ

રાજકોટ તા. ર૯: પુનિતનગર પાસે કવાર્ટરમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગંજીવાડાનો શખ્સ ભગાડી જતા તાલુકા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ આદરી છે.

મળતી વિગત મુજબ પુનિતનગર પાસે કવાટરમાં રહેતી ૧૬ વર્ષની સગીરા ગત તા. ર૭/૬ના રોજ નાસ્તો લેવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. તપાસ કરતા ગંજીવાડા શેરી નં. ૧ રામજી મંદિર બાજુમાં રહેતો સાગર જગદીશભાઇ થોરીયા સગીરાને લલચાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયો હોવાનું જાણવા મળતા સગીરાની માતા એ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એસ. આર. વળવીએ તપાસ આદરી છે.

(3:23 pm IST)