Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

રામેશ્વર પાર્કમાં પડી જતા વૃધ્ધ ભગવાનદાસભાઇનું મોત

ગોવર્ધન ચોક પાસે રહેતા વૃધ્ધ તુલસીભાઇ નાંઢાનું બેભાન થઇ જતા મોત

રાજકોટ તા. ર૯: રેલનગર રામેશ્વર પાર્કમાં ઘરમાં પડી જતા વૃધ્ધનું અને ગોવર્ધન ચોક પાસે માધવ ગેઇટ અંદર રહેતા વૃધ્ધનું બેભાન થઇ જતા મોત નિપજયું છે.

મળતી વિગત મુજબ રેલનગર રામેશ્વર પાર્કમાં રહેતા ભગવાનદાસભાઇ માણેકચંદભાઇ બીલવાણી (ઉ.વ.૭પ) ગત તા. ર૪/૬ના રોજ પોતાના ઘરે હતા ત્યારે પડી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી. જયારે બીજા બનાવમાં ગોવર્ધન ચોક સામે માધવ ગેઇટ અંદર દેવ મંદિર પાસે રહેતા તુલસીભાઇ બાબુલાલભાઇ નાંઢા (ઉ.વ. ૭ર) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે એકાએક બેભાન થઇ જતા તેને સારવાર માટે સ્િવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે તાલુકા પોલીસ મથકના એએસઆઇ અજીતસિંહ તથા રાઇટર રિતેષભાઇએ કાર્યવાહી કરી હતી.

(3:23 pm IST)