Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ભગવતીપરા સુખસાગર સોસાયટીમાંથી યુવાનની લાશ મળીઃ વાલીવારસની શોધ

સવારના સાડા છએક વાગ્યાથી નશો કર્યો હોઇ એ રીતે આટાફેરા કરતો'તોઃ બાદમાં અચાનક ઢળી પડ્યોઃ હાથમાં કાનૂડો ત્રોફાવેલો છેઃ બી-ડિવીઝન પોલીસની તપાસ

રાજકોટ તા. ૨૯: ભગવતીપરાની સુખસાગર સોસાયટી-૬માં એક આશરે ૨૫ વર્ષના યુવાનની લાશ પડી હોવાની જાણ થતાં બી-ડિવીઝનના એેઅસઆઇ કે. યુ. વાળા તથા રાઇટર સંજયભાઇ કુમરખાણીયાએ ત્યાં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક યુવાનના હાથના કાંડાથી કોણી સુધીના ભાગ પર કાનૂડાની મુર્તિ ત્રોફાવેલી છે. આ સિવાય તેની ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્તુઓ મળી નથી. પોલીસે તપાસ કરતાં એવી માહિતી મળી હતી કે આ યુવાન સવારના સાડા છએક વાગ્યાથી શેરીમાં આટાફેરા કરતો હતો. તેણે નશો કર્યો હોય તેવું જણાતું હતું. એ પછી અચાનક સુખસાગર-૬માં ઢળી પડ્યો હતો અને મોત નિપજ્યું હતું. મોતનું કારણ જાણવા પોલીસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે. તસ્વીરમાં દેખાતા મૃતક વિશે કોઇને માહિતી હોય તો બી-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૭૦૬૦૧૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. એએસઆઇ કે. યુ. વાળા વધુ તપાસ કરે છે.

(2:33 pm IST)