Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

વિરારમાં પૂ. ધીરગુુરુદેવના અનુગ્રહથી નિર્મિત ઉપાશ્રયનું રવિવારે ઉદ્ઘાટન

 રાજકોટઃ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, તિરુપતિનગર-૨, વિજય સેલ્સ સામે, વિરાર (વેસ્ટ)ખાતે પૂ.શ્રી. ધીરગુરૂદેવના અનુગ્રહથી માત્ર ૬૩ દિવસમાં સાતાકારી ઉપાશ્રયનું નિર્માણ સંપન્ન થતાં આજે પ્રથમવાર અનુગ્રહ પ્રદાતા પૂ.શ્રી ધીરગુરુદેવનું પાવન પદાર્પણ થતાં મેવાડભવનથી સ્વાગત યાત્રાનો પ્રારંભ થયેલ

 સ્વાગત સમારોહ મધ્યે સંઘના મંત્રી શ્રીમતી દીપ્તી શાહે પૂ. ગુરૂદેવના ઉપકારનો ઋણ સ્વીકાર કરેલ. તા.૧ને રવિવારે નવકારશી બાદ ૯ કલાકે મહેન્દ્રભાઇ મહેતાના વરદ્ હસ્તે માતુશ્રી ગુલાબબેન કાનજીભાઇ મહેતા જૈન ઉપાશ્રયની ઉદ્ઘાટન વિધિ અને શોભાયાત્રા પુર્ણ થયા બાદ વિષ્ણુપ્રતિભા હોલમાં સમારોહ જગશી સામંત ગાલાની અધ્યક્ષતામાં યોજાશે.

 આ પ્રસંગે પૂ. શુભેચ્છાકુમારી જી મ.સ. આદિ, પૂ. નયનાજી મ.સ. આદિ બિરાજશે. ગોપાલ સંપ્રદાયના શિરોમણી પૂ. ધન્યકુમાર મુનિ મ.સા.ના દર્શનાર્થે પૂ.શ્રી ધીરગુરુદેવ પધારતા ઉમંગ છવાયો હતો.

(4:21 pm IST)