Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા સૈફૂદીન સોઝના પુતળાનું દહન

રાજકોટઃ કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીયમંત્રી અને કાશ્મીરના નેતા સૈફુદીન સોઝે કાશ્મીર અંગેની ટીપ્પણઈ કરતા રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા રાજકોટ જીલ્લા ભાજપાના અધ્યક્ષ ડી.કે.સખીયા તથા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, જીલ્લા ઉપપ્રમુખશ્રીઓ પરસોતમભાઇ સાવલિયા, ભુપતભાઇ ડાભી, જીલ્લા મંત્રીશ્રીઓ વિનુભાઇ પરમાર તથા મનસુખભાઇ રામાણીની આગેવાની હેઠળ રાજકોટ જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે જીલ્લા ભાજપાના અસંખ્ય કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કોંગ્રેસના વિવાદિત નિવેદન કરતા સૈફુદીન સોઝના પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાજપા પ્રમુખશ્રી ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે, કાશ્મીર ભારતનો હિસ્સો છે. સરદાર વલ્લભભાઇ પટેલએ સ્વતંત્ર ભારતના દેશના ૫૬૫ રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરવાનું મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ કામ કર્યુ છે. લોખંડી પુરૂષ વિષે આવી ટીપ્પણી કરવામાં આવતા સમગ્ર ભારતમાં કોંગ્રેસના નેતાઓ સામે પ્રજાજનોમાં રોષ ભભૂકયો છે.  આ પુતળા દહનના કાર્યક્રમમાં જીવરાજભાઇ રાદડિયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયા ગીરીશભાઇ પરમાર, નવીનપરી ગૌસ્વામી, વિજયભાઇ કોરાટ, નરેન્દ્રસિંહ જાડેજા, ગૌતમભાઇ કાનગડ, મનસુખભાઇ સરધારા, ભરતસિંહ જાડેજા, મોહનભાઇ ખુંટ, જગદીશભાઇ બોરીચા, વલ્લભભાઇ સેખલિયા, વિક્રમભાઇ ખીમાણીયા, હઠીસિંહ જાડેજા, પ્રવીણભાઇ હેરમા, ગોવિંદભાઇ રાઠોડ, રવિરાજસિંહ જાડેજા, નારણભાઇ વાકાતર, પારસભાઇ સોલંકી, ભરતભાઇ શિંગાળા,હિરેનભાઇ જોશી, સતીશભાઇ શિંગાળા, અલ્પેશભાઇ અગ્રાવત, આશિષભાઇ લીંબાસીયા, જયેશભાઇ પંડ્યા, ગૌતમભાઇ શુકલ, રજનીભાઇ સખીયા, દિનેશભાઇ વીરડા, નિશિતાબેન ગોંડલીયા, શિવલાલભાઇ પીપળીયા, હરિભાઇ રૈયાણી, રવિ જોશી, રાજનભાઇ ભાલારા, વિવેક સાતા, કિશોર રાજપૂત સહીતના જીલ્લા તથા મંડલના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા તેમ અરૂણ નિર્મળ જણાવે છે.

(3:57 pm IST)