Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

સરગમ કલબ દ્વારા મહાપાલિકાના નવા સુકાનીઓનું સન્માન

રાજકોટ : મહાનગરપાલિકાના નવનિયુકત પદાધિકારીઓને સન્માનીત કરવાનો એક કાર્યક્રમ સરગમ કલબ દ્વારા યોજાયો હતો. નવનિયુકત મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિન મોલિયા, શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજયભાઇ પરમારનું સરગમ કલબના પ્રમુખ ગુણવંતાઇ ડેલાવાળા  તથા અન્ય હોદેદારોના હસ્તે સન્માન કરાયુ હતુ. કાર્યક્રમમાં ધારાસભ્યો અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, ઉદ્યોગપતિ મૌલેશભાઇ ઉકાણી, નાથાભાઇ કાલરીયા, સ્મિતભાઇ પટેલ, અરવિંદભાઇ દોમડીયા, કિરીટભાઇ આદ્રોજા, મિતેનભાઇ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચન સરગમ કલબના ઉપપ્રમુખ અરવિંદભાઇ દોમડીયાએ કરેલ. જયારે સમગ્ર સંચાલન પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સરગમ કલબના ભરતભાઇ સોલંકી, રાજેન્દ્ર શેઠ, રમેશભાઇ અકબરી, ગીતાબેન હીરાણી વગેરેએ જહેમત ઉઠાવી હતી. તમામ પદાધિકારીઓએ સન્માન બદલ ખુશી વ્યકત કરી હતી. તેમજ તાજતેરમાં બ્રીટીશ પાર્લામેન્ટમાં સન્માનીત થવા બદલ ગુણવંતભાઇ ડેલાવાળાને અભિનંદન આપ્યા હતા.

(3:54 pm IST)