Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

નરેન્‍દ્રભાઇનો આજનો કાર્યક્રમ

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૨૮ : નરેન્‍દ્રભાઇ મોદી સવારે ૯.૧૫ વાગ્‍યે રાજકોટ એરપોર્ટ ઉપર આવી પહોંચ્‍યા હતા. ત્‍યાંથી ૧૦.૨૦ના હેલીકોપ્‍ટર મારફત આટકોટ ખાતે બનાવવામાં આવેલા હેલીપેડ ઉપર આવી પહોંચ્‍યા હતા ત્‍યાંથી સીધા ૧૦.૪૫ વાગ્‍યે હોસ્‍પિટલ પહોંચ્‍યા હતા. હોસ્‍પિટલ ખાતે તેઓએ ૩૦ મીનીટનું રોકાણ કર્યું હતું. ત્‍યાં હોસ્‍પિટલની સુવિધાઓ નિહાળી હતી અને ૧૧.૧૫ વાગ્‍યે મુખ્‍ય સભા મંડપમાં પહોંચ્‍યા હતા. બાદમાં ૧૨.૩૦ વાગ્‍યે આટકોટથી પરત રાજકોટ પહોંચી દોઢ વાગ્‍યે અમદાવાદ (ગાંધીનગર) જવા રવાના થયા હતા.

 

(11:05 am IST)