Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

દાગીના અને ૩ લાખ લઇને આવ તો જ ઘરમાં રહેવા દઇશું.. જૈનમબબેન મારફાણીને ત્રાસ

સદરબજારમાં રહેતા પતિ મોઇન અને સાસુ મેમુનાબેન સામે ગુનો

રાજકોટ, તા.૨૯ : સદરબજાર જુમા મસ્જિદ પાસે રહેતી મુસ્લિમ પરિણીતાને 'કરીયાવર ઓછો લાવી છો' દાગીના અને ત્રણ લાખ લઇને આવ તો જ ઘરમાં રહેવા દઇશુ કહી પતિ અને સાસુ ત્રાસ આપતી ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ભીલવાસ શેરી નં.૪માં માવતરે રહેતી જૈનમબેન મોઇન મારફાણી (ઉ.વ.૨૧) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે પોતના સવા બે વર્ષ પહેલા સદર બજાર જુમ્મા મસ્જિદ પાસે રહેતો મોઇન યાસીનભાઇ મારફાણી સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિ મોઇન તથા સાસુ મેમુનાબેન મારફાણી અવારનવાર ઘરકામ બાબતે મેણાટોણા મારી શારીરિક માનસીક ત્રાસ આપતા હતા અને 'કરીયાવર ઓછો લાવી છો અને તારા બાપને કેહ દાગીના તથા રૂપિયા ત્રણ લાખ લઇને આવે તો જ તને ઘરમાં રહેવા દઇશું નહી તો તને જાનથી મારી નાખીશુ તેમ કહી ગાળો આપી ધમકી આપી હતી. બાદ અવારનવાર ઢીકાપાટુ તથા લાકડી વડે માર મારતા ભીલવાસમાં માવતરે રીસામણે જતા રહ્યા હતા. આ અંગે જૈનમબેને મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇવાય.એન.લેઉવાએ તપાસ હાથ ધરી છે.

(4:22 pm IST)