Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

કડવીભાઈ વીરાણી કન્‍યા વિદ્યાલયનું બોર્ડનું ઝળહળતું ૯૭.૩૨ ટકા પરીણામ

રાજકોટઃ શહેરની મધ્‍યમાં સ્‍થાપિત રાજકોટની આઝાદી પહેલાની સ્‍થપાયેલ શાળા શ્રી કડવીભાઈ વીરાણી કન્‍યા વિદ્યાલય શિક્ષણ ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં મોખરે છે અને ફરી એકવાર ધો.૧૦ એસએસસીના બોર્ડના પરિણામમાં ઝળહળતી સફળતા મેળવી છે. બારસીયા ફોરમ ૯૯.૯૭ પીઆર બોર્ડ તૃતીય અને હિંગુ અંજલી ૯૯.૯૩ પીઆર બોર્ડ સાતમા સ્‍થાને ઉતીર્ણ થઈ શાળાનું ગૌરવ વધારેલ છે. શાળાનું પરિણામ ૯૭.૩૨ ટકા આવેલ છે. શાળાના કુલ ૩૭૩ વિદ્યાર્થીઓમાંથી ૯૦ ટકાથી વધુ- ૧૪ વિદ્યાર્થીઓ, ૮૦ટકા થી વધુ- ૮૪ વિદ્યાર્થીઓ, ૭૦ ટકા થી વધુ- ૧૮૭ વિદ્યાર્થીઓ, ૬૦ ટકા થી વધુ- ૩૦૧ વિદ્યાર્થીઓએ ગુણ મેળવીને શાળાનું ગૌરવ વધારેલ છે.

(2:40 pm IST)