Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

માધવ ટ્રસ્ટના સંક્રિય સેવાભાવી હસમુખા એવા લાલભાઈ પોપટની ચીર વિદાય

RNSB ના નિવૃત લાલભાઈ પોપટ રક્તદાન ચક્ષુદાન દેહદાન સ્લીપર વિતરણ ધાબળા વિતરણ મીઠાઈ વિતરણ સહિતના સેવાકાર્ય અગ્રેસર

રાજકોટ : માધવ ટ્રસ્ટના સક્રિય સેવાભાવી હસમુખા એવા લાલભાઈ પોપટની ચીર વિદાય થઇ છે મૂળ રાજકોટનાશિક્ષિત સેવાભાવી સંસ્કારી ધર્મપરાયણ પરિવારના  ઉત્સાહી તરવરીયા કર્મઠ લાલભાઈ પોપટ જીવનમાં હંમેશા કોઈને મદદરૂપ થવું એ જેમનો સ્વભાવ હતો તેવા સુખ દુઃખના સાથી ચહેરા પર સદા સ્મીત ક્યારેય કોઈ સાથે ઊંચા અવાજે વાત નહીં માનવતા જેના લોહીમાં વહેતી એવા અતિ શાંત સરળ સૌમ્ય મિલનસાર પરોપકારી હતા

*રક્તદાન ચક્ષુદાન દેહદાન  સ્લીપર વિતરણ ધાબળા વિતરણ મીઠાઈ વિતરણ સહિતના નાના મોટા તમામ કાર્યક્રમોમાં અચુક છેલ્લે સુધી હાજર હોય ક્યારેય મન સન્માનની અપેક્ષા નહીં આવા મીઠપવાળા માનવીની ખોટ કેમ પુરાય અમને સૌને કયારેય ન પુરી શકાય તેવી ખોટ પડી છે*

પોતે RNSB બેન્કમાં મેનેજર તરીકે મેનેજર તરીકે સફળ ફરજ બજાવી અને દરેક જગ્યાએ બેન્કના ગ્રાહકો અધિકારીઓ કર્મચારીઓની ચાહના મેળવેલ અને ફરજનિષ્ઠા ક્યારેય  ચુકેલ નહીં પોતે બેન્કમાંથી નિવૃત્તિ લઈને પોતાનો સ્વતંત્ર વ્યવસાય ભાગીદારીમાં કરેલ અને સરસ સેટ થઈ ગયેલ

(11:33 pm IST)