Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

વેકસીન કેમ્પનો લાભ લેવા બાર એસો.ના પ્રમુખનો અનુરોધ

અભયભાઇની પાંચમી માસિક પુણ્યતિથિએ યોજાનાર

રાજકોટ તા. ર૯: રાજકોટ શહેરના જાણીતા ધારાશાસ્ત્રી અને સાંસદ સ્વ. અભય ભારદ્વાજની પાંચમી માસીક પુણ્યતિથિ નીમીતે મોહનભાઇ એલ. ચૌધરી હાઇસ્કુલ ખાતે શનિવારે કોરોના વેકસીન કેમ્પમાં મોટી સંખ્યામાં વેકસીન લેવા નગરજનો, વકિલોને રાજકોટ બાર એસો.ના પ્રમુખ બકુલ રાજાણીએ અપીલ કરેલ છે.

સ્વ. શ્રી અભયભાઇ ભારદ્વાજની પુણ્યતિથિમાં તમામ લોકોએ વેકસીન લઇ રાજય અને ભારત સરકારની અપીલને માન આપી લોકોને વધુ સંક્રમીત થતા અટકાવવા માટે વેકસીનનો અકસીર ડોઝ લેવા માટે રાજકોટ બારના પ્રમુખ રાજાણીએ અપીલ કરેલ છે.

વેકસીન ૪પ વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવશે અને સરકારની જો ગાઇડ લાઇન જાહેર થશે અને ૧૮ વર્ષથી ઉપરના તમામને વેકસીન આપવાની મંજુરી આપશે તો જ તેઓ ને વેકસીનનો ડોઝ આપવામાં આવશે અત્યારે ૪પ વર્ષથી ઉપરના લોકો માટેનો કેમ્પ રાખેલ છે.

રાજકોટ બાર એસો.ના તમામ સભ્યો જેણે વેકસીન લીધી નથી તેમણે આ કેમ્પનો લાભ લેવા માટે બકુલ રાજાણીએ અનુરોધ કરેલ છે.

(3:03 pm IST)