Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

સદર ભીલવાસ નજીક વિચિત્ર શ્વાસ ઉપડાયા બાદ કુતરાનું મોત

રાજકોટ : અહીંના સદર બજારવાસ પાસે આવેલા ઠકકરબાપા હરિજનવાસ  શેરીમાં ૪માં એક કુતરાને અચાનક વિચિત્ર શ્વાસ ઉપડયા બાદ થોડી જ વારમાં મૃતયુ પામતા ત્યાના રહીશોમાં ભય જોવા મળી રહ્યો હતો કે કુતરાને કોઇ ગંભીર બીમારી હશે અથવા કોરોનાથી મૃત્યુ પામેલ હશે આવી તરહ તરહની ચર્ચા જાગી હતી.

ત્યાંના સ્થાનિક આગેવાન શ્રાવણકુમારે કોર્પોરેટર કશ્યપ શુકલને જાણ કરતા તુરંત જ કોર્પોની ટીમ કુતરૂ ઉપાડી ગયેલ હતી અને વૈજ્ઞાીનક ઢબે કુતરાની લાશનો નિકાલ કર્યો હતો.

(2:22 pm IST)