Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

રેલનગર છત્રપતિ ટાઉનશીપમાં પુજા પરમારનો ગળાફાંસો ખાઇ આપઘાત

યુવતીની હત્યા થઇ હોવાનો તેના માસાનો આક્ષેપ : પ્રનગર પોલીસે એફ.એસ.એલ.ની મદદ લીધી : કારણ જાણવા તપાસ

રાજકોટ : રેલનગરમાં આવેલા છત્રપતિ ટાઉન શીપમાં રહેતી કોળી યુવગતીએ બીલ્ડીંગના આઠમાં માળે લીફટના રૃમમાં આવેલી સીડીના એંગલમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

મળતી વિગત મુજબ છત્રપતિ ટાઉનશીપ બ્લોક નં. ૪માં ચોથા માળે રહેતી પુજા ભરતભાઇ પરમાર (ઉ.વ.૧૮) (કોળીફ) એ રાત્રે બિલ્ડીંગના આઠમા માળે લીફટના રૃમમાં આવેલી લોખંડની સીડીના એંગલમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બીલ્ડીંગના રહેવાસી અગાશી પર ચક્કર મારવા જતા તેને પુજાને લટકટી હાલતમાં જોઇ તાકીદે તેના પરિવારજનોને જાણ કરતા તેના માતા-પિતા દોડી આવ્યા હતા. અને જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવતીનું મૃતયુ નિપજયું હોવાનું જણાતા પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. કંટ્રોલ ઇન્ચાર્જ પ્રનગરને જાણ કરતા એ.એસ.આઇ. હરેશભાઇ રત્નોતર અને રાઇટર માયાબેને સ્થળ પર પહોંચી યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. મૃતક પુજા એકભાઇ અને એક બહેનમાં મોટી હતી. પિતા કારખાનામાં મજુરીકામ કરે છે માતા પણ મુજરી કામ રે છે. આ બનાવમાં યુવતીના માસાએ હત્યાનો આક્ષેપ કરતા પોલીસે એફ.એસ.એલ.ની મદદ લીધી હતી. પોસ્ટમોર્ટમમાં તબીબોએ યુવતીએ ગળાફાંસો ખાધો હોવાનો પોલીસને અભિપ્રાય આપ્યો હતો. તેણીએ કયા કારણોસર આ પગલુ ભર્યુ તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:08 pm IST)