Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

રેલનગર લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપમાં સીડી પરથી પડી જતા વૃધ્ધ વિઠ્ઠલભાઇનું મોત

નવલનગરમાં ઘરમાં પડી જવાથી વજેસિંહ ચૌહાણનું મોત

રાજકોટ તા. ૨૯ : રેલનગરમાં લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપમાં રહેતા સગર વૃધ્ધનું સડી પરથી પડી જતા અને નવલનગરના વૃધ્ધનું ઘરમાં પડી જતા મોત નિપજ્યું છે. મળતી વિગત મુજબ રેલનગર લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપમાં રહેતા વિઠ્ઠલભાઇ જીવનભાઇ ગોઢા (ઉ.વ.૭૦) ગત તા. ૧૭ના રોજ પોતાના ઘરે સીડી પરથી પડી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે પ્ર.નગર પોલીસ મથકના એએસઆઇ હરેશભાઇ તથા રાઇટર માયાબેને કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા બનાવમાં નવલનગર શેરી નં. ૪માં રહેતા વજેસિંહ હકુજી ચૌહાણ (ઉ.વ.૬૫) વહેલી સવારે પોતાના ઘરે હતા ત્યારે પડી જતા તેને માથાના ભાગે ઇજા થતા સારવાર માટે ગીરીરાજ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

(3:50 pm IST)