Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ઉદ્ઘોષ દ્વારા શિવાજીને પુષ્પાંજલી

અત્રેની ઉદ્ઘોષ ક્રાંતિવીર  સ્મૃતિ સંસ્થા દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિતે રેસકોર્ષ સ્થિત શિવાજી મહારાજની પ્રતિમા પાસે શહેરના ગણમાન્ય નાગરિકો કિશોરભાઇ મુગલપરા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાન્ત કાર્યવાહકના હસ્તે પુષ્પાંજલી અર્પવાના કાર્યક્રમ યોજવામાં આવશે. સર્વે સંઘની પ્રભાત શાખાના સૌ સ્વયંસેવક બંધુઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પુષ્પાજલી કરેલ. કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રમુખ વિનોદભાઇ પેઢડીયા, મંત્રી વિમલભાઇ જાની અને કારોબારી સભ્યોએ કરેલ. સફળ બનાવવા ડો. કલ્યાણસિંહ રાઠોડ, દિલાવરભાઇ વાગડીાય, જે.પી. દવે, કિશનભાઇ વાગડીયા, કનુભાઇ કોઠારી, મનીષભાઇ ઠાકર તથા સમગ્ર ઉદ્ઘોષ પરિવારની ટીમે સતત કાર્યરત રહેલ.

(3:36 pm IST)