Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

હત્યાના ગુનામાં પેરોલ પર છુટેલા કેદી કિશોર રામાણીનો આપઘાતનો પ્રયાસ

ગઇકાલે પેરોલ રજા પુરી થતા જેલમાં હાજર થવાનું હતું

રાજકોટ તા ૨૯  : મોરબી રોડ, શ્રીરામ પાર્કમાં હત્યાના ગુનામાં પેરોલ પર છુટેલા કેદીએ ઘઉંમાં નાખવાની ટીકડી પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મળતી વિગત મુજબ મોરબી રોડ પર આવેલા શ્રીરામ પાર્ક શેરી નં.૨ માં રહેતા કિશોર ચનાભાઇ રામાણી (ઉ.વ.૩૨) એ પોતાના ઘરે ઘઉંમાં નાખવાની ટીકડી પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના એ.એસ.આઇ. યુ.બી. પવાર તથા રાઇટર મીતેષભાઇએ તપાસ હાથ ધરી હતી. જયેશ રામાણી નામના પટેલ યુવાનની હત્યામાં કિશોર ચના રામાણી છેલ્લા દોઢ વર્ષથી જેલમાં છે. તે સાત દિવસ માટે જેલમાંથી પેરોલ રજા પર છુટયો હતો. ગઇકાલે પેરોલ રજા પુરી થતા તેને જેલમાં હાજર થવાનું હોવાનું જાણવા મળ્યું છે.

(3:42 pm IST)