Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ઢોલરા ચોકડી પાસેના ડબલમર્ડરના કેસમાં આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી

રાજકોટ તા.૨૯: રાજકોટ શહેરના ગોંડલ રોડ પર ઢોલરા ચોકડી પાસે ઘાસના થડા રાખવાના પ્રશ્ને થયેલા મારામારી માં બેવડી હત્યાના ગુનામાં જેલમાં રહેલ એક ભરવાડ શખ્સની માનવતાના ધોરણે જમીન અરજી કોર્ટએ નામંજુર કરેલ છે.

આ કેસની વિગત જોઇએ તો શહેરના ઢોલારા ચોકડી પાસે આ કામના ફરિયાદી અને આરોપીઓ વચ્ચે ઘાસના વેચાણ બાબતે  મનદુખ ચાલતું હતું. તેનો ખાર રાખીને તારીખ-૮-૪-૧૮ના રોજ જેશીંગભાઇ મેરાભાઇ શિયાળીયા અને વજાભાઇ ખીમાંભાઇ અળગોતરની હત્યા કરેલ. જેમાં આરોપીઓએ એક સંપ કરી જેશિંગભાઇને છરીના ઘા મારીને ગરદન ના પાછળ ભાગે, માથાના ભાગે તથા પેટના દુટીના ભાગે તથા વેજાભાઇ અલગોતરને તલવાર તથા ધારિયાના ઘા માથાના લમણાના ભાગે મારી તેઓનું ખૂન કરવાના ઇરાદે આવા જીવલેણ હથિયારો કુહાડી,છરી,ફરશી તથા લાકડીઓથી હુમલો કરી કરપીણ હત્યા કરવામાં આવેલ.

આ ગુનામા તાલુકા પો.સ્ટે.માં લક્ષણભાઇ જસિંગભાઇ શિયાળીયા જે મરનાર ના પુત્ર થતાં હોય ફરિયાદ કરતાં ગુના થી ગુનો દાખલ થયેલ અને  ઇ.પી.કો.ક.૩૦૨,૩૦૭, ૩૪,૨૦૧ તથા ૧૩૫ મુજબ ગુનો દાખલ થયેલ અને મેલા વજુભાઇ ઉર્ફે વરજંગ શિયાળીયા નવધણ શિયાળીયા, વિશાલ ઉર્ફે લાલો મેલભાઇ શિયાળીયા સામે ગુનો દાખલ કરી ઉપરોકત શખ્સોની ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતા.

હાલ જેમમાં રહેલા આ પૈકીના નવઘણ વજુભાઇ ઉર્ફે વરજાંગભાઇ શિયાળીયા ધર્મ હિન્દુ, ધંધો-મજૂરીકામ,ઉ.વ.૨૭ રહે-ગોંડલ રોડ, રસુલપરા-૧૩, એ રાજકોટ હાલ-સેટ્રલ જેલ રાજકોટ વાળાએ સેશન્સ અદાલતમાં માનવતા ના ધોરણે જામીન અરજી કરેલ જેમાં આ અરજી ચાલી જતાં નામદાર કોર્ટએ બને પક્ષોના વકીલની દલીલો, ઉચ્ચ અદાલતો ના ચુુકદાઓ ધ્યાને લઇ ને નામંજુર કરેલ.

આ કામે સરકારી વકીલ શ્રી રક્ષિત કલોલા તથા આ ખૂન કેસમાં મૂળ ફરિયાદી વતી વકીલ રૂપરાજસિંહ પરમાર, અજિત પરમાર, કુલદીપસિંહ બી.જાડેજા, ભરતભાઇ સોમાણી, શિવરાજસિંહ ઝાલા અને મદદનીશ તરીકે શકિતદાન ગઢવી રોકાયેલ હતા.

(3:40 pm IST)