Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ખોડીયાર પરામાં ૧૫ વર્ષની સગીરા ઘરેથી નીકળ્યા બાદ લાપતા

થોરાળા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ આદરી

રાજકોટ તા ૨૯   : આજી વસાહત ખોડીયારપરામાં રહેતી ૧૫ વર્ષની સગીરા પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ખોડીયારપરામાં રહેતી ૧૫ વર્ષની સગીરા ત્રણ દિવસ પહેલા પિતાએ મોબાઇલ ફોનનો વધારે ઉપયોગ ન કરવાનું કહી મોબાઇલ ફોન લઇ લીધા બાદ ઠપકો આપતા સગીરા રીસાઇને ઘરેથી નીકળ્યા બાદ પતદ ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ ે તેનો કોઇ તપો ન લાગતા તેના પિતાએ થોરાળા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણનો ગુનો દાખલ કરી ઇન્ચાર્જ પી.આઇ. પી.ડી. જાદવ તથા રાઇટર અજીતભાઇએ તપાસ હાથ ધરી છે.

(3:40 pm IST)