Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

કાલે ગાંધી નિર્વાણ દિને માંસ, મટન ઉપર પ્રતિબંધઃ કતલખાનાઓ બંધ રાખવા આદેશ

જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે

રાજકોટઃ આવતીકાલે તા.૩૦ના ગાંધી નિર્વાણ દિન નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છીનું વેંચાણ કે સ્ટોર કરવા પર રાજકોટ મ્યુનિસીપલ કમિશ્નર શ્રી ઉદીત અગ્રવાલ દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે બી.પી.એમ.સી. એકટ ૧૯૪૯ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સબંધકર્તા તમામ ગંભીર નોંધ લેવા રાજકોટ મહાનગરપાલીકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની એક યાદીમાં જણાવાયું છે.

(3:39 pm IST)