Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

બિમારીથી કંટાળી રાજારામ સોસાયટીમાં આહિર વૃધ્ધ મેણંદભાઇનો ગળાફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા. ૩૦: સામા કાંઠે સંત કબીર રોડ રાજારામ સોસાયટીમાં રહેતાં મેણંદભાઇ દાદાભાઇ આગરિયા (ઉ.વ.૭૦) નામના આહિર વૃધ્ધે ૨૬/૧ના રોજ પોતાના ઘરે પતરાની આડીમાં હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અહિથી ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી ફરીથી સિવિલમાં લાવવામાં આવ્યા હતાં. અહિ રાત્રે તેમણે દમ તોડી દેતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

મેણંદભાઇએ ફાંસો ખાઇ લીધો એ વખતે જ પુત્ર ખેંગારભાઇ આવી જતાં તેમેણે તાકીદે નીચે ઉતારી સારવાર માટે સિવિલમાં ખસેડ્યા હતાં. ત્યાંથી દોશી હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. ફરીથી સિવિલમાં દાખલ કરાયા હતાં. અહિ મોત નિપજ્યું હતું. મેણંદભાઇને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. કેટલાક દિવસથી તેઓ મજા ન હોવાનું કહી ગુમસુમ રહેતાં હતાં. બિમારીથી કંટાળીને પગલુ ભર્યાનું તેમના પુત્ર ખેંગારભાઇએ કહ્યું હતું. થોરાળા પોલીસે મથકના પીએસઆઇ એચ. વી. વડાવીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:16 pm IST)