Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

ક્રાંતિ માનવ ટ્રસ્ટ દ્વારા સ્વ.મનસુખભાઇ સિરોયાની સેવા દિનની ઉજવણી

રાજકોટઃ સ્વ.શ્રી ક્રાંતિ માનવ સેવા ફાઉન્ડેશન દ્વારા સ્વ.શ્રી મનસુખભાઇ સિરોયાની ૧૦ મી પુણ્યતિથી નિમિતે આજે ર૯ જાન્યુઆરીએ સેવા દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. મહારકતદાન દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. મહારકતદાન શિબિર, બટુક ભોજન, ગૌશાળામાં ઘાસ વિતરણ વિગેરે કાર્યક્રમો યોજાયેલ છે. પરીવાર અને ટ્રસ્ટના  વી.એમ.પટેલ, નિલેષ કામદાર, સંજય હિરાણી વગેરે સેવાયજ્ઞમાં જોડાયા હતા. પરીવાર દ્વારા સ્વ.મનસુખભાઇની સ્મૃતિમાં ટ્રસ્ટને અંતિમયાત્રા વાન અર્પણ કરવામાં આવેલ. જેનો ર૦૧૮-૧૯ના વર્ષમાં અત્યાર સુધીમાં ૭૮૭ લોકોના પાર્થિવદેહની સ્મશાનયાત્રામાં ઉપયોગ થયો છે. ટ્રસ્ટ દ્વારા આ સેવા સંપુર્ણ નિઃશુલ્ક છે.

(3:21 pm IST)