Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

હરી ધવા રોડ પર પ્લાયવુડના વેપારી સંજયભાઇ પાટડીયાનો આપઘાત

ઘરે ફાંસો ખાઇ લીધો : આપઘાતના કારણ અંગે તપાસ

રાજકોટ તા. ૨૧ : હરી ધવા રોડ પર જ્ઞાનધારા સંકુલ સામે કુંભાર પ્લાયવુડના વેપારીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. મળતી વિગત મુજબ હરી ધવા રોડ પર જ્ઞાનધારા સ્કુલ સામે રહેતા અને ગોંડલ રોડ પર જ્યોતિ એન્ટરપ્રાઇઝ નામે પ્લાયવુડની દુકાન ધરાવતા સંજયભાઇ ચંદુભાઇ પાટડીયા (ઉ.વ.૩૦)એ પોતાના ઘરે ચાદર પંખાના હુકમાં બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ કરતા ૧૦૮ના તબીબે જોઇ તપાસી તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. જાણ થતાં ભકિતનગર પોલીસ મથકના પીએસઆઇ બી.બી.કોડીયાતર તથા રાઇટર નિલેશભાઇએ સ્થળ પર પહોંચી તેણે કયાં કારણોસર આ પગલુ ભર્યું તે અંગેનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

(4:08 pm IST)