Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

સ્વદેશી જાગરણ મંચના કાર્યકરો છતીસગઢ વર્ગમાં ભાગ લેવા રવાના

રાજકોટ, પોરબંદર, મોરબીના કાર્યકર્તાઓએ આ વર્ગમાં સામેલ

રાજકોટ : સ્વદેશી જાગરણ મંચનો રાષ્ટ્રીય વિચાર વર્ગ દુર્ગ છતીસગઢ ખાતે યોજાયેલ છે. આ ત્રણ દિવસીય વર્ગમાં રોજગાર, પર્યાવરણ, સંકલ્પિત પરિવાર, પહેલે ખાદી અબ ખાધ, ચીનની વસ્તુઓનો બહિષ્કાર જેવા વિષયો પર ચર્ચા વિચારણા કરી મહત્વના નિર્ણયો જાહેર કરાશે. રાજકોટ, પોરબંદર, મોરબીના કાર્યકર્તાઓએ આ વર્ગમાં સામેલ થયા છે. વિનુભાઇ પઢડીયા,  મણીલાલ કંડીયા, ગિરીશભાઇ કરમટા, યોગેશભાઇ ભટ્ટ, રાજુભાઇ કકકડ, હરેશભાઇ સોઢા, મોરબીના જીજ્ઞેશભાઇ સાણંદીયા, પોરબંદરના વિપીનભાઇ કકકડ, વિરજીભાઇ પરમાર, રાજુભાઇ ઓઝા, કિશોરભાઇ ઓઝા, ઉમેશભાઇ ભટ્ટ વગેરેએ આ વગમાં ભાગ લીધો છે. તેઓને રાજકોટની સ્વદેશી જાગરણ મંચના સહક્ષેત્ર સંયોજક રમેશભાઇ દવે, પ્રચાર પ્રસાર પ્રમુખ જયેશભાઇ ઝીંઝુવાડીયા, સમિતિ સદસ્ય ચંદુભાઇ જોશી વગેરેએ શુભેચ્છા પાઠવી વિદાયમાન આપેલ તે સમયની તસ્વીર નજરે પડે છે.

(4:03 pm IST)