Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

રાજકોટમાં 'સપા'ની શિબિરઃ અખિલેશ યાદવ આવશે?

બે મહિના સુધીમાં આયોજન ગોઠવવા મુદ્દે ચાલતી તૈયારીઃ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સંગઠનની પણ રચનાઃ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો લડાવાશેઃ જામજોધપુરમાં દિલીપ લાડાણીની જાહેરાત

 

જામજોધપુરમાં સમાજવાદી પાર્ટીના સંગઠન, લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખવા મુદ્દે વિગતો વર્ણવતા દિલીપ લાડાણી સહિતના હોદેદારો દર્શાય છે. (તસ્વીર : અહેવાલ : અશોક ઠકરાર, જામજોધપુર)

જામજોધપુર તા. ૧૭ :.. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સમાજવાદી પાર્ટી લોકસભાની  ચૂંટણીમાં ઝંપલાવવા તૈયાર છે ત્યારે સંગઠનની રચના પણ કરી દેવાઇ છે.

જેમાં સમાજવાદી પાર્ટીના પ્રદેશ સંગઠન સચિવ દિલીપભાઇ ડાયાભાઇ લાડાણીએ જામજોધપુર ખાતે હોટલ રજવાડીમાં પત્રકારોને જણાવેલ કે, પક્ષના નવા સંગઠનનું સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કામ ચાલુ છે. હાલ જામનગર-રાજકોટ દેવભૂમિ દ્વારકા, પોરબંદર-કચ્છ સહિતના જિલ્લામાં પુર્ણ કરી  થવા પામી છે.

દરમિયાન વધુમાં ઉમેર્યુ હતું કે, આગામી બે મહિના સુધીમાં રાજકોટ ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવના નેજા તળે શિબીરનું પણ આયોજન થવા જઇ રહ્યું છે. જેમાં પ્રદેશ અધ્યક્ષ સુરેન્દ્રસિંહ યાદવ, રામસેવદાસજી, નયના પરમાર, કિરણ કંસારા સહિત વિવિધ હોદેદારો, અગ્રણીઓ ઉપસ્થિત રહેનાર છે. આ તકે લોકસભાની ચૂંટણીમાં તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખવા મુદે પણ ચર્ચા-વિચારણા થવાની છે.

(11:48 am IST)