Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

નુપર ગ્રુપ દ્વારા કાલે સર્વજ્ઞાતિય સમુહ લગ્નઃ પાંચ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે

કરીયાવરમાં ૮૦ વસ્તુઓ અપાશેઃ નિઃશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પ

 રાજકોટઃ તા.૨૪, નુપર ગ્રુપ દ્વારા આવતીકાલે તા.૨૫ના બુધવારે કોઠારીયા સોલવન્ટ, ગુજરાત હાઉસીંગ બોર્ડ નારાયણનગર પ્રાથમીક શાળા, ગોંડલ રોડ ખાતે સર્વજ્ઞાતિય સમુહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે. જેમા પાંચ નવયુગલ પ્રભુતામાં પગલા પાડશે

 આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત, ધારાસભ્ય શ્રી કુંવરજીભાઇ બાવળીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. કરીયાવરમાં દીકરીઓને ૮૦ થી વધુ વસ્તુઓ આપવામાં આવશે.  આ યોજના  સફળ બનાવવા  પરમાર શીતલ, માયાણી હિના, જાડેજા કાજલબા, જાડેજા જલ્પાબા, કાચા નેન્સી, પરમાર હિના, ગૌસ્વામી બંંસી તેમજ વિજયસિંહ જાડેજા, પરાક્રમસિંહ ચુડાસમા અને ધર્મેન્દ્રસિંહ (પિન્ટુભાઇ) વિ. જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીર : સદીપ બગથરીયા) (૪૦.૫)

(4:34 pm IST)