Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

સોરઠીયા પ્લોટમાં દિવાબત્તી કરતી વખતે દાઝી ગયેલા ૯૨ વર્ષના મોંઘીબેન સાગઠીયાનું મોત

રાજકોટ તા. ૨૪: જીલ્લા ગાર્ડન નજીક સોરઠીયા પ્લોટ-૩માં રહેતાં મોંઘીબેન કાનજીભાઇ સાગઠીયા (ઉ.૯૨) નામના વણકર વૃધ્ધા તા.૬ના રોજ ઘરે દાઝી જતાં લોટસ હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ આજે વહેલી સવારે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલાળા અને દિપસિંહ ચોૈહાણે એ-ડિવીઝનમાં જાણ કરી હતી. મૃત્યુ પામનાર મોંઘીબેન ઘરમાં સંધ્યા ટાણે દિવાબત્તી કરતાં હતાં ત્યારે દિવો સાડી પર પડતાં ભડકો થતાં દાઝી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું. તેમને સંતાનમાં ચાર પુત્ર અને ત્રણ પુત્રી છે.

(11:32 am IST)