Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

બેસ્ટ ઇન્વેસ્ટીગેશન માટે દેશભરના ૧ર૧ અધિકારીઓને કેન્દ્રીય એવોર્ડઃ ગુજરાતમાંથી રાજકોટ રેલ્વેના ડીવાયએસપી પિયુષ ફીરોઝીયા, એસીપી અભિજીતસિંહ પરમાર, પીએસઆઇ રાજભાઇ કરમટા, એએસઆઇ બળવંતસિંહ બારાઇ અને બિનલભાઇ ચૌધરીનો સમાવેશ

રાજકોટ : દેશના વિવિધ રાજયના પોલીસ ઇન્વેસ્ટીગેશન ક્ષેત્રે બેસ્ટ કામગીરી કરનારા ૧ર૧ જેટલા પોલીસ અધિકારીઓની પસંદગી કરી તેઓને એવોર્ડ જાહેર કરાયા છે.આ અધિકારીઓમાં રાજકોટ રેલ્વેના વિભાગીય પોલીસવડા ડીવાયએસપી શ્રી પિયુષ ફીરોઝીયા, એસીપી શ્રી અભજીતસિંહ પરમાર, પીએસઆઇ શ્રી રાજભાઇ કરમટા તથા એએસઆઇ શ્રી બળવંતસિંહ બારાઇ અને શ્રી બિનલભાઇ ચૌધરીનો સમાવેશ થાય છે. આ એવોર્ડમાં સીબીઆઇના અધિકારીઓ તથા ર૧ જેટલી મહિલા ઓફીસરીનો પણ સમાવેશ થાય છે.

(3:46 pm IST)