Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

છેતરપીંડી-વિશ્વાસઘાતની ફરિયાદમાં આરોપીની જામીન અરજી રદઃ જેલ હવાલે

રાજકોટ તા.૧૧: વડોદરાના વેપારીની જામીન અરજી રદ થતા જેલ હવાલે કરવામાં આવેલ છે.

વડોદરા શહેરમાં સાવલી રોડ પર આવેલ સનરાઇઝ બંગ્લોઝમાં રહેતા રૂષભભાઇ રજનીકાંત શાહ કે જેઓ વડોદરામાં બંને પિતા પુત્રો આર.આર.ટ્રેડીંગના નામે કારેલીબાગમાં ધંધો કરે છે. જેઓ વિરૂધ્ધ રાજકોટ શહેરના ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદી નયનેશભાઇ રતિલાલ દાવડાએ છેતરપીંડી અને ગુન્હાહીત વિશ્વાસઘાત સમાન ગુન્હાની ફરીયાદ નોંધાવી રજુઆત કરેલ કે આરોપી રૂષભ તથા તેના પિતાશ્રી રજનીકાંતભાઇ ઉર્ફે રાજુભાઇ કાંતિલાલ શાહ દ્વારા પુર્વયોજીત કાવત્રુ રચી આ કામના ફરીયાદીની વેપારી પેઢી સાથે વ્યાપારિક સંબંધો કેળવી વિશ્વાસમાં લઇ રૂપીયા એક કરોડ કરતા વધુ રકમ ચુકવ્યા વગર અને અવારનવાર ઉઘરાણી કરવા છતા વાયદા મુજબ રકમ ચુકવેલ નહી આ રીતે આ બંને પિતા પુત્રોએ છેતરપીંડી અને ગુન્હાહીત વિશ્વાસઘાત સમાન ફોજદારી ફરીયાદ કરતા તપાસનીશ અધિકારીએ આરોપી રૂષભની ધરપકડ કરી પોલીસ સબ-ઇન્સપેકટરશ્રી પી.બી.જેબલીયાએ પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરતા. અધિક ચીફ જયુડી. મેજી.શ્રી પી.કેે.રાયે આરોપી વિરૂધ્ધ પ્રથમદર્શનીય રિમાન્ડ અંગેનો કેસ જણાતા બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવેલ.

આરોપીના રિમાન્ડ પુરા થતા જેઓને અદાલત સમક્ષ રજુ કરવામાં આવેલ જેથી આરોપીએ અદાલત સમક્ષ જામીન અરદી કરેલી અને આરોપી તરફે આ સીવીલ તકરાર છે, તેવી રજુઆત કરેલ જે કામમાં ફરીયાદીએ જામીન અરજીનો  લેખીતમાં વિરોધ કરેલ અને આ બંને પિતા પુત્રોએ ફરીયાદીની જેમ અન્ય વેપારીઓ સાથે પણ આ જ પ્રકારની ગુન્હાહીત પધ્ધતિ દ્વારા તેઓએ છેતરપીંડી અને વિશ્વાસઘાત સમાન ગુન્હાહીત કૃત્ય આચરેલ છે. જે કેસના પોલીસ તપાસના કાગળો કાયદાકીય પરિસ્થિતી તેમજ જામીનલાયક ગુન્હો હોવાનું અને માતબર રકમ લેણી નીકળે છે જે હકીકતોને લક્ષમાં લઇ રાજકોટના જયુડી. શ્રી વઘવાણીએ આરોપીની જામીન અરજી નામંજુર કરી જેલ હવાલે કરવાનો હુકમ કરેલ છે.

આ કામમાં મુળ ફરીયાદી વતી એડવોકેટ દરજજે રાજકોટના શ્રી લલિતસિંહ જે.શાહી, ભુવનેશ એલ.શાહી, કૃણાલ એલ.શાહી, સી.એમ.દક્ષિણી,હીતેષ ગોહેલ, મનીષ ગુરૃંગ, નિશાંત જોષી રોકાયેલા છે.

(3:23 pm IST)