Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ દ્વારા ડિસેમ્બરમાં વિદ્યાર્થી સન્માનઃ બ્રહ્મરત્ન એવોર્ડથી નવાજાશે

રાજકોટ,તા.૧૧: શ્રી ઔદિચ્ય ઝાલાવાડી, બ્રાહ્મસમાજ, રાજકોટ દ્વારા આગામી તા.૨૯ ડિસેમ્બરને રવિવારના રોજ વિદ્યાર્થી સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં શ્રી ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ, રાજકોટના સભ્યના ધો.૧ થી ૧૨, સ્નાતક, અનુસ્નાતક કે ઉચ્ચ અભ્યાસ ધરાવતા સંતાનો તથા આ ઉપરાંત કોઈપણ ક્ષેત્રમાં રાજય કે રાષ્ટ્રીય કક્ષાની સિધ્ધિ ધરાવતા જ્ઞાતિરત્નોનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવશે.

આ માટેના ફોર્મ (૧) શ્રી મુરલીધર શૈક્ષણિક સંકુલ, ૮/૧૧ વર્ધમાનનગર, પેલેસ રોડ, રાજકોટ, (૨) ઈનોવેટીવ સ્કૂલ- મિલાપનગર મેઈન રોડ, સર્વેશ્વર મહાદેવની સામે, પંચાયતનગર, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતેથી મેળવી જમા કરાવી દેવા.

શ્રી ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ, રાજકોટ દ્વારા આ અગાઉ બે કાર્યક્રમો મેઘાણી રંગભવન તથા હેમુગઢવી હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ૧૨૦૦ જેટલા પરિવારજનો ઉપસ્થિત રહી એકતાના દર્શન કરાયેલ.

સમગ્ર કાર્યક્રમ માટે શ્રી ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજના મેનેજીંગ ટ્રસ્ટી દર્શિતભાઈ જાની તથા પ્રમુખ ડો.અતુલભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ કમિટિના સભ્યો પ્રમુખ ડો.અતુલભાઈ વ્યાસ, ઉપપ્રમુખ રાજેષભાઈ જોષી, મહામંત્રી  વિપુલભાઈ શુકલ, ભાવનાબેન જોશી, વૈશાલીબેન શુકલ, માલતીબેન જાની, વિમલભાઈ જાની, મુકેશભાઈ ઠાકર, નિકેતભાઈ જોષી, સતિષભાઈ રાવલ, દીપાબેન જાની, બિંદુબેન દવે, કરણ જાની, કલ્પેશ રાવલ, પંકજભાઈ મહેતા, વિક્રમભાઈ રાવલ, દુષ્યંતભાઈ રાવલ, મિનાક્ષીબેન, મિનાબેન, અજયભાઈ, નેહાબેન જહેમત ઉઠાવી રહ્યા છે.

વિદ્યાર્થી સત્કાર સમારંભની વધુ માહિતી માટે ડો.અતુલભાઈ વ્યાસ (મો.૯૮૨૪૪ ૬૦૮૪૨), વિપુલભાઈ શુકલ (મો.૯૮૨૫૪ ૯૪૧૬૨), ભાવના જોષી (મો.૯૯૦૯૨ ૦૦૦૬૭), વૈશાલીબેન શુકલ (મો.૯૪૨૮૨ ૭૧૪૧૬), નિકેતભાઈ જોષી (મો.૭૯૯૦૫ ૭૩૫૬૨), વિમલભાઈ જાની (મો.૯૮૨૫૬ ૧૯૭૯૯), સતિષભાઈ રાવલ (મો.૯૬૩૮૬ ૧૯૯૪૪) તથા દુષ્યંતભાઈ રાવલ (મો.૯૮૭૯૨ ૦૭૩૦૧), મુકેશભાઈ ઠાકર (મો.૯૩૨૭૯ ૫૮૮૮૪)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:22 pm IST)