Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા તુલસીના રોપાનું નિઃશુલ્ક વિતરણ

રાજકોટ : સામાજીક, સેવાકીય અને ધાર્મિક ક્ષેત્રે સતત લોકઉપયોગી કાર્યો કરતી નામાંકિત સંસ્થા સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા તુલસી વિવાહ / દેવદિવાળીના પર્વ પ્રસંગે ધર્મપ્રસંગે ધર્મપ્રેમી જનતાના ઘરે ઘરે તુલસીમાતાનું રોપણ થાય તેવા શુભ આશયથી રોટરી કલબના ડીસ્ટ્રીકટ ગર્વનર શ્રી તથા તેમના સર્વ મેમ્બર્સ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઇ માંકડ, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, કાળુમામા, જીલ્લા ભાજપ મંત્રી વિનુભાઈ પરમાર, સહિયર કલબના સુરેન્દ્રસિંહ વાળા, રમેશ પંડ્યા સહિતના અગ્રણીઓના હસ્તે પંચનાથ મંદિરેથી ૫૦૦ જેટલા તુલસીના રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ હતું. કાર્યક્રમનું આયોજન પ્રમુખ સુરેશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ ટ્રાફીક શાખાના પીએસઆઈ જે.કે. મહેતા, પ્રકાશ વોરા, ગુણવંત ભટ્ટ, હેમંત ડોડીયા, મહિલા પાંખના પ્રમુખ રમાબેન હેરભા, ઉપપ્રમુખ રેશ્માબેન સોલંકી, મંત્રી દિપાબેન કાચા, તેમજ કારોબારી મેમ્બર્સ દેવયાનીબેન રાવલ, હર્ષિદાબા કનોજીયા, સીમાબેન, ભાવનાબેન ચતવાણી, પ્રભાબેન વસોયા, ઉર્વશીબા ઝાલા, હેતલ બારડ, વર્ષાબેન નિમાવત, હીરલ જોષી (એડવોકેટ), દિલ્પાબેન મકવાણા, તૃપ્તિબેન રાજવીર, શીતલબેન પંડ્યા, માનસીબેન માયાબેન ગોહેલ, અનીતાબેન કક્કડ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(12:57 pm IST)