Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

માથા-હાથના દુઃખાવાથી કંટાળી સાવરકુંડલાના ગેણીયાના લીલાબેનનો ઝેરી દવા પી આપઘાત

વણકર મહિલાનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત થયું

રાજકોટ તા. ૧૧: સાવરકુંડલાના ગેણીયા ગામે રહેતાં લીલાબેન રમેશભાઇ સાગઠીયા (ઉ.વ.૪૫) નામના વણકર મહિલાએ રવિવારે સાંજે પાંચેક વાગ્યે ઘેર ઝેર પી લેતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ સાવરકુંડલા પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર લીલાબેનના પતિ રમેશભાઇ છુટક મજૂરી કરે છે. તેને સંતાનમાં ચાર પુત્રી અને બે પુત્ર છે. હાથ તથા માથાના દુઃખાવાથી કંટાળી જઇ આ પગલું ભર્યાની શકયતા તેમના પરિવારજનોએ જણાવી હતી.

(11:33 am IST)