Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

લોહાણા વેવિશાળ કેન્દ્રનો પ્રારંભ : શહીદોને શ્રધ્ધાંજલી

ગરેડીયા કુવા રોડ ખાતે બજરંગ ગ્રુપ દ્વારા લોહાણા વેવિશાળ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવેલ છે. લગ્ન ઇચ્છુક ઉમેદવારોની નોંધ લઇ શકાય તેવી સંખ્યામાં બાયોડેટા આવ્યા હતા. ઓછુ ભણેલા, ઓછી આવકવાળા તેમજ ઉચ્ચ અભ્યાસવાળા, શ્રીમત નોકરીયાત વગેરે કેટેગરીમાં અહીં રજીસ્ટ્રેશન શરૂ કરાયુ છે. કેન્રના  સમયે ઉપસ્થિત લોહાણા સમાજના અગ્રણીઓ, સંચાલકો, વડીલોએ કાશ્મીરના પુલવામાં શહીદીને વરેલા વીર જવાનો માટે મીણબતી પ્રગટાવી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. કાર્યક્રમમાં સમાજ અગ્રણીઓ શ્રીમતી રીટાબેન કોટક, નટુભાઇ કોટક, નવીનભાઇ ઠકકર, કે. ડી. કારીયા, શ્રીમતી રંજનબેન ચોટાઇ, હસુભાઇ ગણાત્રા, પરેશભાઇ કકકડ, પંકજભાઇ ચગ, મનીષભાઇ અનડકટ, ચંદ્રેશભાઇ લાલભાઇ ગણાત્રા, મનોજભાઇ ચતવાણી, ભરતભાઇ જલારામ, કિશોરભાઇ મોદી, કિશોરભાઇ કારીયા  વગેરેએ ઉપસ્થિત રહી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.(૧૬.૧)

 

(4:12 pm IST)