Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

વૈષ્ણવ સંઘ ઓફ યુકેનું સ્વપ્ન સાકાર...

યુકેના વૈષ્ણવોના હૈયે આનંદ મંગલ લંડનમાં શ્રીનાથધામ હવેલીની દિવ્ય સ્થાપના થશે

રાજકોટ તા. ર૦ : યુકેની વૈષ્ણવોના હૈયે આજે મંગલ છવાપું લંડનમાં હવેલીની સ્થાપના થશે

પૂ.દ્વારકેશલાલજી મહોદયશ્રીએ જણાવ્યું છે કે લંડનની સૌ પ્રથમ સુદ્ધ પુષ્ટિમાર્ગીય હવેલીની જગ્યા નિશ્ચત થઇ છે. અને શ્રીનાથધામ નામની હવેલી એવમ કોમ્યુનીટી સેન્ટરની સ્થાપના થવા જઇ રહી છે. તેની યુ.કે. ના સૌ.વૈષ્ણોને ખુબ ખુબ વધાઇ અત્યાર સુધી લંડનમાં જુદા જુદા સ્થાનમાં મહેમાન બનીને બિરાજતા શ્રીનાથજીને આજે પોતાની માલીકીનું ભવ્ય સ્થાન 'હેરો' વિસ્તાર ખાતે પ્રાપ્ત થયું છે જે આજદિન સુધી પ્રખ્યાત ધ જાસપર સેન્ટર નામથી ઓળખાતું હવે શ્રી નાથધામ હવેલી એવમ કોમ્પ્યુનીટી સેન્ટર તરીકે ઓળખાશે.

અહી કોમ્યુનીટી સેન્ટરમાં ચાલતી બધીજ પ્રવૃતિઓ યથાવત રાખી તદઉપરાંત બાળ પાઠશાળા, યુવા કેન્દ્ર, સેવા સહાયતા કેન્દ્ર, કિર્તન કલાસ, વડીલ વિહાર કેન્દ્ર ગુજરાતી કલાસીસ, યોગા કલાસીસ, જેવી અનેકવિધ પ્રવૃતિઓથી આ કેન્દ્ર ગુંજતું રહેશે.

આ મંગલમય ક્ષણે અપીલ કરીએ છીએ કે એક છત્ર નીચે ભેગા થઇ આ બૃહદ કાર્યને સફળ બનાવવા એક સાથે પ્રયાસ કરીએ.

આવતી પેઢીને વૈષ્ણવી સંસ્કારની સમૃદ્ધ બનાવવા વૈષ્ણવ સંઘ યુ.કે.દ્વારા એક મોટુ સાહસ કરવામાં આવ્યું છે આ સાહસને સહકાર મળતા સહજમાં સર્વ સફળ થશે.(૬.૨૩)

(4:07 pm IST)