Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

ફિલ્ડ માર્શલ-ગોવાણી કન્યા છાત્રાલય દ્વારા શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ

  જમ્મુ કાશ્મીરના પુલવામા માં થયેલ પાકિસ્તાન પ્રરિત આતંકી હુમલામાં ૪૫ થી વધુ શહીદ થયેલા જવાનોની કરૂણ ઘટનાથી સમગ્ર દેશ શોકાતુર છે, ત્યારે સોૈરાષ્ટ્રની જાણીતી સંસ્થા ફિલ્ડમાર્શલ તથા ગોવાણી કન્યાની છાત્રાલય દિકરીઓ દ્વારા શહીદ થયેલ ભારત-માતાના વીર જવાનોને શ્રધધાંજલી અર્પણ કરી તેમના આત્માની ચિર શાંતિ અર્થે પ્રાર્થના કરી બે મિનીટનું મોૈન પાળવામાં આઋયું હતું. આ સભામાં સરહદ પરની સ્થિતીથી તમામ છાત્રાઓને વાકેફ કરવામાં આવયા હતા. પ્રમુખ ચંન્દ્રકાંતભાઇ કણસાગરા, મેનેજીંગ ટ્રસ્ટી પરસોતમભાઇ ફળદુ, તમામ ટ્રસ્ટીશ્રીઓ, કેમ્પસ ડાયરેકટર પ્રો. ડો. જે. એમ. પનારા, ગૃહમાતા ક્રિષ્નાબેન સુરેજા, સુમિત્રાબેન રોકડ, ભૂમિ સાપોવાડિયા, અનસુયાબેન સવસાણી, કાંતિભાઇ ભાલોડિયા વગેરે ઉપસ્થિત રહયા હતા. (૩.૧૫)

 

(3:58 pm IST)