Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

સિનીયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નીતિન કામદારની નવી ઓફીસનો પ્રારંભ

રાજકોટ, તા. ૧૦ : સૌરાષ્ટ્રના જાણીતા તથા ૧૯૭૭થી પ્રેકટીસ કરતા સીનીયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ નીતીન કામદાર એન્ડ કાંુ.ની આધુનિક નવી ઓફીસ કહાન એપાર્ટમેન્ટ, ગ્રાઉન્ડ ફલોર, ૯ - પંચનાથ પ્લોટ, પંચનાથ મંદિર પાછળ રાજકોટ મુકામે પ્રારંભ થયો હતો.

આ શુભ પ્રસંગે 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, 'અકિલા'ના તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા, શ્રી જનકભાઈ ત્રિવેદી, શ્રી સુનિલભાઈ રાયચુરા, શ્રી કોકીલભાઈ કક્કડ, શ્રી શીલુભાઈ પારેખે ખાસ હાજરી આપી શુભેચ્છા પાઠવેલ.

આ ઉપરાંત રાજકોટની પ્રસિદ્ધ મે. રવિ મેટલ રીટ ટ્રીટમેન્ટના માલિક શ્રી રમેશભાઈ રાચ્છ, મે. રામકૃષ્ણ રી. ફેકટરીઝ વાંકાનેરના શૈલેષભાઈ, ટાટા ટ્રકના મોટર પાટ્ર્સવાળા મેસર્સ દિલીપ ઓટો ડિસ્ટ્રીબ્યુટર્સના શ્રી શૈલેષભાઈ તથા રાજેશભાઈ શાહ ધી વેરાવળ મર્કન્ટાઈલ કો.ઓપ. બેન્ક વેરાવળના ચેરમેન ડો.કુમુદભાઈ ફીચડીયા તથા તેમના પત્નિ ડો. વાસંતીબેન ફીચડીયા વેરાવળથી ઉપસ્થિત રહેલ. રાજકોટના જાણીતા સી. એ. શ્રી અશ્વિનભાઈ કોઠારી, શ્રી એન. સી. પંડ્યા, સી. એ. શ્રી એ. ડી. રૂપારેલીયા, સી. એ. શ્રી ગૌરવભાઈ આડેસરા, સી. એ. શ્રી ભાવિક રૂપાપરા, સી. એ. તેમજ જાણીતા એડવોકેટ શ્રી રાજેશભાઈ વોરા તથા ચંદ્રેશ સવાણી વી. બી. શેઠ અને ટેક્ષ પ્રેકટીશનર શ્રી ઋષિતભાઈ શેઠએ ખાસ હાજરી આપેલ.

રાજકોટ તથા ગોંડલની માર્કેટીંગ યાર્ડના જાણીતા વેપારી મેસર્સ નંદલાલ ગોપાલજી ખીમાણીવાળા શ્રી ચીમનભાઈ અને ચેતનભાઈ ખીમાણી, મેસર્સ મિતુલ ટ્રેડર્સ ગોંડલના શ્રી હસુભાઈ અને મિતુલભાઈ ખીમાણી, મેસર્સ ડી. વી. ડી. કોર્પોરેશન રાજકોટના શ્રી જયંતિભાઈ તથા હિતેષભાઈ ખખ્ખર, સંવેદના હાઈટ્સ બિલ્ડર્સવાળા, શ્રી રાજુભાઈ દફતરી, સેરેનીટી ગાર્ડન, બિલ્ડર્સવાળા, શ્રી રમેશભાઈ પાંચાણી, પ્રિયંકભાઈ પાંચાણી સૌરાષ્ટ્રના જાણીતા આર્કીટેકટ શ્રી જવાહરભાઈ તથા તેમની ટીમના શ્રી કૌશિકભાઈ રામાણી, હિતેષભાઈ ઈન્ટીરીયર તથા તેમના મિત્ર સર્કલમાં શ્રી અશ્વિનભાઈ હરસુખલાલ શાહ, શ્રી દિપકભાઈ ઈન્દુભાઈ પારેખ, શ્રી મુકેશભાઈ દોશી શેર બ્રોકર્સ, દ્વારકેશ જવેલર્સવાળા, શ્રી મુળચંદભાઈ, કીરીટ, પરેશ ભુપતાણી, અનિલ જવેલર્સવાળા અનિલભાઈ તથા ચંદ્રેશ કામદાર ડો. જગદીશભાઈ અને રેખાબેન ઉદાણી ડેન્ટલસર્જન, શ્રી કૌશિકભાઈ ચીમનભાઈ શુકલ, શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ, ફિલ્ડમાર્શલ ઈન્ડસ્ટ્રીઝવાળા શ્રી દિગંબર જૈન મંદિરના ટ્રસ્ટીઓ શ્રી કિશોરભાઈ લાખાણી, શ્રી વિરેન્દ્રભાઈ ખારા, ડો. જી. યુ. મહેતા, ડો.કલ્પનાબેન મહેતા, ડો.શૈલાબેન દોશી, સ્થાપત્ય આર્કીટેકટ, મહેન્દ્રભાઈ કામદાર, કૃણાલ ઈન્ડસ્ટ્રીઝ, શ્રી મુકેશભાઈ મલકાણ, શ્રી મહેન્દ્ર દોશી (ઈકોનોમીક ટ્રેડર્સ), શ્રી વિનુભાઈ રૂઘાણી, બોમ્બે ટેલીવીઝન શ્રીમતી સંગીતાબેન શાહ, શ્રીમદ્દ એન્ટરપ્રાઈઝ વગેરે અનેક મહાનુભાવો ઉપરાંત શ્રી મહાનગર કો. ઓપ. સોસાયટીના ફલેટ હોલ્ડરોએ હાજરી આપી ઉત્સાહની લાગણી પ્રસરાવી હતી.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી નીતિનભાઈ કામદાર (મો.૯૮૨૫૨ ૧૭૮૪૮) ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કુ.મનાલી કામદાર અને ફાયનાન્શીયલ એડવાઈઝર શ્રીમતી રક્ષાબેન કામદાર દ્વારા સૌ મહેમાનોનું સ્વાગત કરેલ.

આમ સૌરાષ્ટ્રના અત્યંત જાણીતા શ્રી નીતિનભાઈ કામદારની નવી ઓફીસે બધાએ ખાસ હાજરી આપી વધામણી કરેલ.(૩૭.૩)

(1:13 pm IST)