Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

વિઠ્ઠલભાઇના સ્વાસ્થ્ય માટે સંત ભોજન

કાલાવડ રોડ ઉપર આવેલ બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ખાતે હાલ અમેરીકા નિવાસી રાજકોટ જીલ્લા બેંકના નિવૃત વહીવટી મેનેજર કેશુભાઇ વેકરીયા દ્વારા સંસદસભ્ય અને ખેડુત નેતાશ્રી વિઠ્ઠલભાઇ રાદડીયાના સ્વાસ્થ્ય માટે સંતભોજન તેમજ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસભા સ્નેહમિલનમાં બીએસપીએસ શ્રી સ્વામીનારાયણ સંસ્થાના પ્રખર વકતા અપ,ૂર્વમુનિ સ્વામી તથા મંદિરના કોઠારી સ્વામી અને બ્રહ્મતીર્થ સ્વામીએ આશીર્વચન પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ ડીસ્ટ્રીકટ કો. ઓપ. બેંકના એમ.ડી. ઘનશ્યામભાઇ ખાટરીયા, ડીરેકટર બકુલભા, એ.આર. વિડજા, બાલુભાઇ સરાડવા, બેંકના જનરલ મેનેજર વી. એમ. સખીયા સહિતના રાજકોટ ડીસ્ટ્રીકટ કો. ઓપ. બેંકના તમામ નિવૃત કર્મચારીગણ તેમજ બેંકના તમામ મેનેજરો ઉપરાંત અમેરીકા સ્થિત શિકાગો ગ્રુપ તથા સ્નેહી-મિત્રો સંબંધી સહિત ૮૦૦ થી ૧૦૦૦ વ્યકિતઓ હાજર રહ્યાં હતાં.

(4:23 pm IST)