Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

છાપરામાં જ્ઞાનવાણી વહાવતા જીજ્ઞેશદાદા : શિંગાળા પરિવાર દ્વારા કથા

રાજકોટ : શહેરની ભાગોળે કાલાવડ રોડપર આવેલ છાપરા ગામે શિંગાળા પરિવાર દ્વારા શ્રી જીજ્ઞેશદાદાના વ્યાસાસને ભાગવત સપ્તાહનું આયોજન થયુ છે. જેમાં દરરોજ વિશાળ સંખ્યામાં ધર્મપ્રેમીજનો કથાશ્રવણનો લાભ લઇ રહ્યા છે. સમગ્ર આયોજન માટે ડાયાભાઇ ચનાભાઇ શિંગાળા, પ્રકાશભાઇ શિંગાળા, શિંગાળા પરિવારના પ્રમુખ અરવિંદભાઇ શિંગાળા, દામજીભાઇ શિંગાળા, વિજયભાઇ શિંગાળા, ચન્દ્રકાન્તભાઇ શિંગાળા, મનસુખભાઇ શિંગાળા, નૈમિશભાઇ શિંગાળા, મહેશભાઇ શિંગાળા, જગદીશભાઇ શિંગાળા તેમજ સમસ્ત શિંગાળા પરિવાર જહેમત ઉઠાવી રહેલ છે. ગામના યુવાનોની ટીમ પણ સરાહનીય સેવા આપી રહી છે. વધુને વધુ સંખ્યામાં લોકોએ કથા શ્રવણનો લાભ લેવા શિંગાળા પરિવારે અનુરોધ કરેલ છે.

(4:03 pm IST)