Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

પ્રદેશ કોંગ્રેસના મંત્રીપદે મુકેશ ચાવડા અને રાજદીપસિંહ જાડેજાની નિયુકિત

ફી અધિનિયમ આંદોલનને વેગ અપાશે

રાજકોટ,તા.૨૦: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી તરીકે મુકેશભાઈ ચાવડાની વરણી કરવામાં આવી છે. જેઓ રાજકોટ મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ સભ્ય, ભૂતપૂર્વ રાજકોટ લોકસભા યુથ કોંગ્રેસ પ્રમુખ છે.

આ ઉપરાંત ડો.રાજદીપસિંહ જાડેજાની પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસમંત્રી પદે વરણી કરવામાં આવી છે. જેઓ સૌરાષ્ટ્ર યુનિ.સેનેટ મેમ્બર/ બોર્ડ ઓફ સ્પોટ્સ મેમ્બર ભૂતપૂર્વ રાજકોટ લોકસભા યુથ કોંગ્રેસ પ્રમુખ, ભૂતપૂર્વ રાજકોટ શહેર એન.એસ.યુ.આઈ.પ્રમુખ અને ભૂતપૂર્વ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ મહામંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.

રાજકોટ શહેર માટે યુથ કોંગ્રેસ અને એન.એસ.યુ. આઈ.ના માધ્યમથી હજારો વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે અનેક આંદોલનો કર્યા છે. તેમજ હરહંમેશા વિદ્યાર્થીઓ અને રાજકોટની પ્રજા માટે લડત આપી છે.

આવનારા દિવસોમાં જે ફી અધિનિયમ હેઠળની લડાઈ સરકાર અને સ્કુલો સામે ચલાવી રહ્યા છે. આ આંદોલનને પણ વેગ આપવામાં આવશે તેમ યાદીમાં જણાવાયું છે.

(4:01 pm IST)