Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

૧૭ વર્ષની સગીરાનું અપહરણ અને બળાત્કારના ગુનામાં દિનેશ પકડાયો

ચોટીલાના ડાકોલીયાના દેવીપૂજક શખ્સને ભકિતનગર પોલીસે દબોચ્યો

રાજકોટ, તા. ર૦ : રાજકોટમાં રહેતી ૧૭ વર્ષની સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર ચોટીલાના ડાકોલીયાના દેવીપૂજક શખ્સને ભકિતનગર પોલીસે પકડી લીધો છે. મળતી વિગત મુજબ રાજકોટમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લલચાવી ફોંસલાવી લગ્ન કરવાના ઇરાદે ચોટીલાનો દિનેશ ધીરૂભાઇ ઉધરેજીયા નામનો શખ્સ છ દિવસ પહેલા અપહરણ કરી ગયો હોવાની ફરીયાદ ભકિતનગર પોલીસ મથકમાં થઇ હતી.  આ બનાવમાંઇન્ચાર્જ પીઆઇ આર.એસ. ઠાકર તથા રાઇટર નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ અને હિરેનભાઇ સહિતે ચોટીલાના ડાકોલીયાનો દિનેશ ધીરૂભાઇ ઉધરેજીયા (ઉ.ર૦)ને પકડી લીધો હતો. તપાસ દરમ્યાન તેણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું ખુલતા પોલીસે બળાત્કારની કલમનો ઉમેરો કરી તપાસ હાથ ધરી છે.

(3:13 pm IST)