Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

પુનિતનગર ખીજડાવાળા મામા સાહેબ મંદિર માટે ફાળો-ધર્માદો નથી લેવાતો

મંદિરના નામે પૈસા નહી આપવા સેવક રીટાબેનનો અનુરોધ

રાજકોટ તા.૧૬: શહેરનાં પુનિતનગર ગોંડલ રોડ પર આવેલ જય શ્રી ખીજડાવાળા મામા સાહેબ મંદિર માટે કોઇ જ ફાળો કે ધર્માદો લેવાતો નથી તેમ મંદિરના સેવક રીટાબેને જાહેર કર્યું છે.

આ અંગે રીટાબેને એક યાદીમાં જણાવ્યુ઼ છે કે તેઓ છેલ્લા ૧૫ વર્ષથી જયશ્રી ખીજડાવાળા મામા સાહેબ મંદિરમાં સેવા-પુજા કરે છે. આ મંદિર માટે કયારેય, કોઇપણ જાતનો ફાળો-ધર્માદો કે રોકડ રકમ લેવામાં નથી આવતા ત્યા બટુક ભોજન નામે પણ કોઇ દિવસ કોઇપણ જાતની રકમ લેવામાં નથી આવતી. આથી આ મંદિરના નામે કોઇપણ જાતનું દાન-ધર્માદો કે રોકડ રકમ નહી આપવા મંદિરના સેવક રીટાબેને જાહેર જનતાને અપીલ કરી છે.(૧.૨૩)

(3:17 pm IST)