Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

વોર્ડ નં. ૧માં કોર્પોરેટરો દ્વારા લ્હાણી વિતરણ

ગાંધીગ્રામમાં આવેલ ગોવિંદનગર વિસ્તારમાં છેલ્લા ૨૫ વર્ષથી થતી નવદુર્ગા ગરબી મંડળમાં ગઈકાલે આ વિસ્તારના જાગૃત ભાજપના કોર્પોરેટર બાબુભાઈ આહિર તથા દુર્ગાબા જયદીપસિંહ જાડેજાના હસ્તે લ્હાણી વિતરણ કરાયુ હતું. તસ્વીરમાં ડાબેથી આ વિસ્તારના આગેવાન વિભાભાઈ સાટીયા, દેવાયતભાઈ ડાંગર, બાબુભાઈ રાદડીયા, મહેશ ડાંગર, કોર્પોરેટર બાબુભાઈ આહિર, હરસુરભાઈ આહિર, ગાંધીગ્રામ વિસ્તારના જાણીતા એડવોકેટ રાજભા ઝાલા, જયેશ શિયાળ તથા કોર્પોરેટર દુર્ગાબા જાડેજા બાળાઓને લ્હાણી વિતરણ કરતા નજરે પડે છે (૨-૧૯)

(3:15 pm IST)