Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ગ્‍લોબલ આયુર્વેદ હોસ્‍પિટલમાં નિઃશુલ્‍ક કેમ્‍પ

પી. જે. માંગરોલીયા ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ગ્‍લોબલ આયુર્વેદ હોસ્‍પિટલમાં વિશ્વ પાઇલ્‍સ દિવસની ઉજવણી નિમિતે શલ્‍યતંત્ર વિભાગ દ્વારા હરસ, મસા, ફીશર, ભગંદર વગેરે મળમાર્ગના રોગો માટે નિઃશુલ્‍ક નિદાન કેમ્‍પ યોજવામાં આવ્‍યો હતો. જેમાં ૨૭ દર્દીઓએ લાભ લીધેલ. જરૂરતમંદોને રાહતદરે શષાકર્મ (ઓપરેશન) કરી અપાયા હતા. ખેવના કોટક અને પ્રેરણા સોનેજીએ ઓપીડી આઇપીડીની સેવા આપી હતી. સમગ્ર આયોજન માટે ટ્રસ્‍ટીઓ સિધ્‍ધાર્થભાઇ મહેતા, કાજલબેન માંગરોલીયા, પ્રિન્‍સીપાલ અને હોસ્‍પિટલ અધિક્ષક વૈદ્ય શ્રેયસ ભાલોડીયા, વાઇસ પ્રિન્‍સીપાલ વૈદ્ય વિજય તલંગના માર્ગદર્શન હેઠળ સ્‍ટાફગણે જહેમત ઉઠાવી હતી. તેમ કેમ્‍પસ એડમીનીસ્‍ટ્રેટર વૈદ્ય મેહુલ જોશીની યાદીમાં જણાવાયુ છે.

(3:45 pm IST)